18 ઓક્ટોબરે સૂર્ય દેવનું ગોચર, આ 3 રાશિના જાતકો પર દિવાળી સુધી થશે ખૂબ ધનવર્ષા

Updated: Oct 11th, 2023


Google NewsGoogle News
18 ઓક્ટોબરે સૂર્ય દેવનું ગોચર, આ 3 રાશિના જાતકો પર દિવાળી સુધી થશે ખૂબ ધનવર્ષા 1 - image


                                                        Image Source: Freepik

અમદાવાદ, તા. 11 ઓક્ટોબર 2023 બુધવાર

સૂર્ય દેવને ગ્રહોના રાજા કહેવામાં આવે છે. તેઓ દર મહિને નિયમિતરીતે પોતાની રાશિમાં પરિવર્તન કરતા રહે છે. તેમનુ ગોચર સામાન્યરીતે તમામ જાતકો માટે શુભ માનવામાં આવે છે. હવે તેઓ દશેરા પહેલા ફરીથી ગોચર કરવા જઈ રહ્યા છે. તેઓ 18 ઓક્ટોબરે તુલા રાશિમાં પ્રવેશ કરશે. તેઓ આ રાશિમાં 17 નવેમ્બર સુધી રહેશે. જે બાદ તેઓ વૃશ્ચિક રાશિમાં જતા રહેશે. તેમના આ ગોચરથી તમામ જાતકોને ફાયદો થશે પરંતુ 3 રાશિઓ એવી છે. જેની પર દિવાળી સુધી ખૂબ ધનવર્ષા થશે.

સૂર્ય ગોચરથી આ 3 રાશિને થશે ફાયદો

સિંહ રાશિ

આ રાશિના લોકો માટે આ સૂર્ય ગોચર ખૂબ લાભદાયી રહેવાનું છે. તેમના કરિયરની રોકાયેલી ગાડી ઝડપથી દોડવાની છે. તેમને ગમે ત્યાંથી અચાનક ખૂબ ધન મળી શકે છે. અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓને પરીક્ષામાં સફળતાના પણ યોગ છે. તમારુ આરોગ્ય સારુ રહેશે.

ધન રાશિ

સૂર્ય દેવનું આ ગોચર તમારા માટે વરદાનની જેમ હશે. તમને કોઈક મોટી કંપનીમાંથી સારી નોકરીની ઓફર મળી શકે છે. કાર્ય સ્થળે પ્રમોશનની સાથે નવી જવાબદારી મળી શકે છે. પરિવારમાં કોઈ શુભ કાર્યની પણ શક્યતા છે.

વૃષભ રાશિ

સૂર્ય ગોચરના કારણે દિવાળી પહેલા તમારા અટકેલા કાર્ય પૂરા થઈ શકે છે. તમારા ઘર પર સંપત્તિ કે વાહન આવવાના યોગ બની રહ્યા છે. તમે ક્યાંક રોકાણ કરવાનો પણ વિચાર કરી શકો છો. પરિવારની સાથે મુસાફરીના પણ યોગ બની રહ્યા છે. તમારી ખ્યાતિ વધશે.


Google NewsGoogle News