Get The App

હનુમાનજીના જન્મોત્સવ પર રાશિ પ્રમાણે કરો તેમની પ્રિય વસ્તુઓ અર્પણ, ઘરમાં થશે લક્ષ્મીનો વાસ

Updated: Apr 6th, 2025

GS TEAM


Google News
Google News
હનુમાનજીના જન્મોત્સવ પર રાશિ પ્રમાણે કરો તેમની પ્રિય વસ્તુઓ અર્પણ, ઘરમાં થશે લક્ષ્મીનો વાસ 1 - image


Hanumanji Janmotsav : હનુમાન જન્મોત્સવ રામ ભક્ત ભગવાન હનુમાનના જન્મનું પ્રતીક છે, જે ભગવાન શ્રીરામ અને માતા સીતાના પરમ ભક્ત હતા. આ વખતે હનુમાન જન્મોત્સવ 12 એપ્રિલના રોજ મનાવવામાં આવશે. બજરંગબલી ભક્તિ, શક્તિ અને નિસ્વાર્થતાના પ્રતીક માનવામાં આવે છે. આ દિવસે શ્રદ્ધાપૂર્વક ભગવાન હનુમાનજીની પૂજા કરવાથી દરેક પ્રકારની મનોકામના પૂર્ણ થાય છે. આવો આજે તમને રામ ભક્ત હનુમાનજીને પ્રસન્ન કરવા માટે રાશિ અનુસાર શું અર્પણ કરવું જોઈએ તે જાણીએ..

આ પણ વાંચો : રામનવમીએ સવારથી સાંજ સુધીના આ મુહૂર્તમાં કરજો પૂજા, જાણી લો વિધિ, ઉપાય

રાશિ પ્રમાણે હનુમાનજીને આ વસ્તુઓ કરો અર્પણ  

મેષ રાશિ:

મેષ રાશિવાળાએ હનુમાન જન્મોત્સવ પર હનુમાનને લાલ ચોળા અર્પણ કરવા જોઈએ. 

વૃષભ રાશિ :

વૃષભ રાશિના જાતકોએ હનુમાનજીને દુધથી બનાવેલી વસ્તુઓ અર્પણ કરવી જોઈએ.

મિથૂન રાશિ:

મિથૂન રાશિના જાતકોએ બજરંગબલીને મીઠા પાનનો ભોગ લગાવવો જોઈએ. 

કર્ક રાશિ :

કર્ક રાશિના જાતકોએ તુલસીની માળા વીર હનુમાનને ચડાવી જોઈએ. 

સિંહ રાશિ:

સિંહ રાશિના લોકોએ હનુમાનજીને નારંગી ચોળા ચડાવવા જોઈએ.

કન્યા રાશિ:

કન્યા રાશિના જાતકોએ પવન પુત્રને ગંગાજળનો અભિષેક કરવો જોઈએ.

આ પણ વાંચો : શ્રી રામે મોરને આપેલું વચન કૃષ્ણ અવતારમાં નિભાવ્યું, ઋણ અને ઉપકારનું મહત્ત્વ સમજાવતી એક અદ્ભુત કથા

તુલા રાશિ:

તુલા રાશિના જાતકોએ હનુમાનજીને પંચામૃત અર્પણ કરવું જોઈએ.

વૃશ્ચિક રાશિ:

વૃશ્ચિક રાશિના જાતકોએ વીર હનુમાનને લાડુઓનો ભોગ લગાવવો જોઈએ.

ધન રાશિ:

ધન રાશિના જાતકોએ હનુમાનજી મહોત્સવ પર બજરંગબલીને તુલસીના પાન અર્પણ કરવા જોઈએ.

મકર રાશિ:

મકર રાશિના જાતકોએ હનુમાનજીને શમી પત્ર ચડાવવા જોઈએ.

કુંભ રાશિ:

કુંભ રાશિના જાતકોએ ભગવાન હનુમાનજીને કેળાનો ભોગ લગાવવો જોઈએ.

મીન રાશિ:

મીન રાશિના જાતકોએ વીર બજરંગબલીને બેસનના લાડુનો ભોગ લગાવવો જોઈએ. 

Tags :