નવરાત્રી કળશ સ્થાપના મુહૂર્ત અને નિયમ, આ વાતનું ખાસ ધ્યાન રાખજો

Updated: Apr 3rd, 2024


Google NewsGoogle News
નવરાત્રી કળશ સ્થાપના મુહૂર્ત અને નિયમ, આ વાતનું ખાસ ધ્યાન રાખજો 1 - image


Navratri Kalshstaphana: ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ 9 એપ્રિલ મંગળવારથી થવા જઈ રહ્યો છે. ચૈત્રી નવરાત્રી ચૈત્ર મહિનાની પ્રતિપદાથી શરુ થાય છે. જેમાં આ વર્ષે ચૈત્રી નવરાત્રી પર અનેક શુભ યોગ સાથે ચાર રાજયોગનો સંયોગ બનવા જઈ રહ્યો છે. ઉપરાંત, આ દિવસે સિદ્ધિ યોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગ બંનેનો શુભ સંયોગ થશે. જો કે, આ દિવસે થોડો સમય પંચક હોય છે. આવી સ્થિતિમાં જોઈએ કે ચૈત્ર નવરાત્રિના પ્રથમ દિવસે કલશની સ્થાપના માટે ક્યારે અને કેટલો સમય શુભ રહેશે.

કળશ સ્થાપના માટે આ સમય રહેશે શ્રેષ્ઠ 

ચૈત્ર નવરાત્રિ કલશ સ્થાનપના માટેનો શુભ સમય પંચક 9 એપ્રિલને મંગળવારે સવારે 7:32 વાગ્યા સુધી ચાલશે. આ પછી જ કળશ સ્થાપના કરવી શુભ ગણાશે. તેથી, આ પહેલાં કળશસ્થાપન કરવું નહિ. ત્યારપછી અશુભ ચોઘડિયા રાત્રે 9.11 વાગ્યા સુધી રહેશે. આથી આ સમયે પણ કળશ સ્થાપન કરવું નહી. ત્યારપછી શુભ ચોઘડિયું 9.12 થી 10.47 સુધી છે. પરંતુ કળશ સ્થાપના માટે સવારે 11:57 થી 12:48 સુધીનો સમય શ્રેષ્ઠ રહેશે. આ સમયને અભિજીત મુહૂર્ત કહેવામાં આવે છે. આથી આ મુહૂર્તમાં કળશ સ્થાપના કરવી શુભ માનવામાં આવે છે. 

કળશ સ્થાપના સમયે આ બાબતોનું રાખો ધ્યાન 

- શાસ્ત્રો અનુસાર કળશ સ્થાપનમાં હંમેશા સોના, ચાંદી, તાંબા અથવા માટીના બનેલા કળશનો જ ઉપયોગ કરવો જોઈએ. પૂજામાં લોખંડ કે  સ્ટીલના બનેલા કળશનો ઉપયોગ ન કરવો

- કળશ સ્થાપિત કરતી વખતે દિશાનું ખાસ ધ્યાન રાખવું એટલે કે કળશની સ્થાપના ઉત્તર અથવા પૂર્વ દિશામાં કરવી જોઈએ 

- કળશ સ્થાપના પહેલા તેને સારી રીતે સાફ કરીને ગંગા જળ છાંટીને જ સ્થાપિત કરવું 

- કળશ સ્થાપન કરતી વખતે સોપારી, સિક્કો, સપ્ત મિતિકા, મધ, ગંગાજળ, પંચ પલ્લવ, પીપળાના પાન, ગૂગળ વગેરે સામગ્રી ઉપલબ્ધ ન હોય તો કળશમાં આંબાના પાન પણ મૂકી શકાય છે

- તેમજ કળશ સ્થાપના માટે નારિયેળને લાલ કપડામાં લપેટીને કળશ પર સ્થાપિત કરવું

- કલશમાં સિંદૂર સાથે સ્વસ્તિક લગાવો. કલશની ઉપર માટીના વાસણમાં ડાંગર અથવા ચોખા મૂકો અને તેની ઉપર એક નારિયેળ મૂકો. પૂજા પછી વેદી પર જવ વાવો.

નવરાત્રી કળશ સ્થાપના મુહૂર્ત અને નિયમ, આ વાતનું ખાસ ધ્યાન રાખજો 2 - image



Google NewsGoogle News