દિવાળી પહેલા આ રાશીઓના જાતકોનો થશે ભાગ્યોદય, કેતુ બદલશે પોતાની ચાલ
આ વર્ષે ઓક્ટોમ્બર મહીનામાં કેટલાક ગ્રહો રાશિ પરિવર્તન કરી રહ્યા છે.
30 ઓક્ટોમ્બરના રોજ કેતુ પોતાની વક્રી ચાલમાં કન્યા રાશિમાં ગોચર કરશે
Image Envato |
તા. 1 ઓક્ટોબર 2023, રવિવાર
આ વર્ષે ઓક્ટોમ્બર (October) મહીનામાં કેટલાક ગ્રહો (zodiac)રાશિ પરિવર્તન કરી રહ્યા છે. જે ઘણુ મહત્વપુર્ણ માનવામાં આવે છે. ગ્રહોની બદલાતી ચાલ વ્યક્તિના જીવન પર અસર કરે છે. આવનારા સમયમાં કેતુ (ketu) પોતાની ચાલ જલ્દી બદલી રહ્યો છે. જેની શુભ અને અશુભ બન્ને અસરના પરિણામો રાશિઓને જોવા મળશે. 30 ઓક્ટોમ્બરના રોજ કેતુ પોતાની વક્રી ચાલમાં કન્યા રાશિમાં ગોચર કરવાનો છે. આવો જાણીએ કે કેતુની આ વક્રી ચાલમાં કઈ કઈ રાશિઓ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
ધન રાશિ
કેતુની કન્યા રાશિમાં પ્રવેશ કરવાથી ધન રાશિના લોકોને શુભ ફળ પ્રાપ્ત થશે. ઉદ્યોગપતિઓ માટે સારો સમય કહી શકાય. ધનમાં વધારો થશે અને દેવામાંથી મુક્તિ મળી શકે છે. પરિવાર સાથે બહાર ફરવાનો પ્લાન બની શકે છે.
સિંહ રાશિ
સિંહ રાશિના જાતકો માટે કેતુનું ગોચર લાભદાયક માનવામાં આવે છે. કેતુના શુભ પ્રભાવથી વેપારીઓને સારો લાભ મળવાની સંભાવના રહેલી છે. જીવનમાં આવી રહેલી તકલીફો ધીરે- ધીરે દુર થઈ જશે. પરિવારમાં ખુશહાલીનો માહોલ જોવા મળે. જાતક પોતે પણ તણાવ મુક્ત અને ખુશ રહેવા માટે પ્રકૃતિ સાથે સમય વિતાવશે. પરંતુ તમારા સ્વાસ્થ્યનો ખ્યાલ રાખવો જરુરી છે.
વૃષભ રાશિ
કેતુના ગોચરથી વૃષભ રાશિના લોકોને ફાયદો મળશે. સરકારી નોકરી કરતા લોકોને કોઈ શુભ સમાચાર મળી શકે છે. વ્યાપારની સ્થિતિ સારી રહે. તેમજ આર્થિક પરિસ્થિતિમાં પહેલા કરતા સુધારો જોવા મળે. સ્વાસ્થ્ય પ્રતિ સાવધાની રાખવી જરુરી છે. પૂજા પાઠમાં મન લગાવવાથી લાભ રહેશે.