આ તારીખથી ચમકશે આ 3 રાશિના જાતકોનું ભાગ્ય, ગ્રહોના રાજા સૂર્ય કરશે વૃશ્ચિક રાશિમાં પ્રવેશ

Updated: Nov 3rd, 2023


Google NewsGoogle News
આ તારીખથી ચમકશે આ 3 રાશિના જાતકોનું ભાગ્ય, ગ્રહોના રાજા સૂર્ય કરશે વૃશ્ચિક રાશિમાં પ્રવેશ 1 - image


                                                         Image Source: Freepik

અમદાવાદ, તા. 03 નવેમ્બર 2023 શુક્રવાર

વૈદિક જ્યોતિષમાં સૂર્ય દેવને ગ્રહોના રાજાની ઉપાધિ આપવામાં આવી છે અને સૂર્ય દેવ આત્મવિશ્વાસ, પિતા, બોસ, સરકારી નોકરી, માન-સન્માન અને પ્રતિષ્ઠાના કારક માનવામાં આવે છે. તેથી સૂર્ય દેવનું રાશિ પરિવર્તન જ્યોતિષમાં ખૂબ મહત્વનું સ્થાન ધરાવે છે. 17 નવેમ્બરે સૂર્ય દેવ પોતાના મિત્રની રાશિ વૃશ્ચિકમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. જેનાથી 3 રાશિના જાતકોના સારા દિવસ શરૂ થઈ શકે છે. આ લોકોને દરેક ક્ષેત્રે સફળતા મળી શકે છે. સાથે જ માન-સન્માન અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિના યોગ બની રહ્યા છે. 

કુંભ રાશિ

આ રાશિના લોકો માટે સૂર્ય દેવનું ગોચર લાભકારી સાબિત થઈ શકે છે. કેમ કે સૂર્ય દેવ તમારી રાશિથી કર્મ ભાવ પર ભ્રમણ કરવા જઈ રહ્યા છે. તેથી આ સમય તમારી આજીવિકાના સંસાધનોમાં વૃદ્ધિ થશે. સાથે જ કામ-વેપારમાં પ્રગતિ થશે. આ રાશિના જે લોકો નોકરી બદલવાનો વિચાર કરી રહ્યા છે. આ સમયગાળામાં તમને નોકરીમાં નવા અવસર પ્રાપ્ત થઈ શકે છે. સાથે જ વેપારીઓને આ સમયે સારા ઓર્ડર મળી શકે છે. જેનાથી આવકમાં વધારો થશે. સાથે જ આ દરમિયાન તમારા જીવનમાં અમુક મહત્વપૂર્ણ પરિવર્તન પણ થઈ શકે છે. આ સમય તમને પિતાનો સહયોગ મળશે.

મીન રાશિ

સૂર્ય દેવનું રાશિ પરિવર્તન મીન રાશિના જાતકોને શુભ ફળદાયી સિદ્ધ થઈ શકે છે. કેમ કે સૂર્ય દેવ તમારી રાશિથી ભાગ્ય સ્થાન પર ભ્રમણ કરવા જઈ રહ્યા છે. તેથી આ સમયે તમને નસીબનો સાથ મળશે, સાથે જ જે કાર્ય તમારા રોકાયેલા હતા તેમાં તમને સફળતા મળશે. સાથે જ તમારી આર્થિક સ્થિતિમાં પણ વધારો થશે. અનપેક્ષિત ધન લાભ સંભવ છે જેનાથી તમારી આર્થિક સ્થિતમાં સુધારો થઈ શકે છે. ધર્મના કાર્યોમાં તમારી રૂચિ વધશે. સાથે જ આ દરમિયાન તમને દેશ-વિદેશની યાત્રા પર જઈ શકો છો, જે શુભ સાબિત થઈ શકે છે. હરીફ વિદ્યાર્થીઓને અત્યારે પરીક્ષામાં સફળતા મળી શકે છે.

તુલા રાશિ

આ રાશિના જાતકોને ગ્રહોના રાજા સૂર્ય દેવનું ગોચર આર્થિક રીતે શુભ સાબિત થઈ શકે છે. કેમ કે સૂર્ય દેવ તમારી રાશિથી ધન સ્થાન પર ભ્રમણ કરવા જઈ રહ્યા છે. તેથી આ સમયે તમને સમયાંતરે આકસ્મિક ધનની પ્રાપ્તિ શક્ય છે. આ દરમિયાન તમને જમીન, વાહન અને પારિવારિક સુખોની પ્રાપ્તિ થશે. આ સમયે વેપારીઓને ફસાયેલુ ધન મળી શકે છે. આ સમયે તમને નવા લોકો સાથે સંબંધ બનશે, જેનાથી તમને ભવિષ્યમાં લાભ થશે. નોકરીયાત લોકોને પ્રમોશન અને શ્રેષ્ઠ કરિયરની તક મળી શકે છે. 


Google NewsGoogle News