139 દિવસ સુધી આ રાશિના જાતકો પર વરસશે શનિની કૃપા, વક્રી ચાલના પ્રભાવથી પલટાશે નસીબ

Updated: Apr 27th, 2024


Google NewsGoogle News
139 દિવસ સુધી આ રાશિના જાતકો પર વરસશે શનિની કૃપા, વક્રી ચાલના પ્રભાવથી પલટાશે નસીબ 1 - image


Image: Freepik

Shani Transit Saturn: શનિ દેવ ટૂંક સમયમાં જ પોતાની ચાલ બદલવાના છે. અત્યારે શનિ કુંભ રાશિમાં વિરાજમાન છે. આગામી સમયમાં જૂન મહિનામાં શનિ દેવ વક્રી ચાલમાં ગોચર કરવાનું શરૂ દેશે. શનિની વક્રી ચાલથી અમુક રાશિઓની કિસ્મત પલટી શકે છે. પંચાંગ અનુસાર 15 નવેમ્બરથી શનિ સીધી ચાલ ચાલશે. એવું માનવામાં આવી રહ્યું છે કે શનિની ઉલટી ચાલ 14 નવેમ્બર સુધી રહેશે. 

વૃશ્ચિક રાશિ

શનિની વક્રી ચાલથી વૃશ્ચિક રાશિના જાતકોને બમ્પર ફાયદો થઈ શકે છે. આવક વધવાના યોગ પણ બની રહ્યાં છે. ધનનું આગમન એવા સ્થળોથી થશે, જ્યાંથી તમે વિચાર્યું પણ નહીં હોય. લવ લાઈફમાં રોમાન્સ બની રહેશે. કરિયરની સ્થિતિ પણ સારી રહેવાની છે.

મેષ રાશિ

શનિની ઉલટી ચાલ મેષ રાશિના જાતકો માટે લાભકારી માનવામાં આવી રહી છે. વેપારીઓ માટે સમય ખૂબ શુભ રહેવાનો છે. બિઝનેસમાં પ્રોફિટ થવાના યોગ છે. નવી નોકરીની ઓફર પણ તમને મળી શકે છે. ઘર-પરિવારમાં શાંતિનો માહોલ રહેશે. નાણાકીય સ્થિતિ પણ સ્ટેબલ રહેવાની છે.

વૃષભ રાશિ

વૃષભ રાશિના જાતકો માટે શનિની ઉલટી ચાલ શુભ સાબિત થઈ શકે છે. જીવનમાં ચાલી રહેલી મુશ્કેલીઓ ઓછી થવા લાગશે. બાળકો સાથે જોડાયેલા ગુડ ન્યૂઝ મળી શકે છે. હેલ્થ સારી રહેવાની છે. આર્થિક સ્થિતિ પણ મજબૂત રહેશે.


Google NewsGoogle News