હાથમાં પૈસા ટકવા નહીં દે આ 3 ખરાબ કૂટેવ, ખિસ્સુ હંમેશા ખાલી જ રહેશે, જાણો ફટાફટ

Updated: Sep 13th, 2024


Google NewsGoogle News
હાથમાં પૈસા ટકવા નહીં દે આ 3 ખરાબ કૂટેવ, ખિસ્સુ હંમેશા ખાલી જ રહેશે, જાણો ફટાફટ 1 - image


Image: Freepik

Chanakya Niti: આચાર્ય ચાણક્યના જણાવ્યા અનુસાર માણસની અમુક કૂટેવોના કારણે તેના હાથમાં ક્યારેય પૈસા ટકતાં નથી. કોઈ પણ માણસમાં બિનજરૂરી ખર્ચ કરવાની ટેવ હોવી જોઈએ નહીં. આ ટેવ નુકશાન કરાવે છે. જો કોઈ વ્યક્તિમાં બિનજરૂરી ખર્ચ કરવાની ટેવ હોય તો તે તેને કંગાળ બનાવી દે છે. વ્યર્થ ધન ખર્ચ કરતાં લોકો પાસે ક્યારેય કંઈ રહેતું નથી. તેથી ઈમરજન્સીના સમય માટે ધનની બચત કરવી જોઈએ.

માણસે નશા જેવી કોઈ પણ લત કે સંગતનો શિકાર થવું જોઈએ નહીં. આવા માણસના ખિસ્સામાં ક્યારેય પૈસા ટકતાં નથી અને જો ટકે પણ છે તો તે ખોટા કાર્યોમાં જ ખર્ચ કરે છે.

કોઈ પણ વ્યક્તિની અંદર ક્યારેય આળસ હોવી જોઈએ નહીં. આળસ કરનારથી માતા લક્ષ્મી પણ નારાજ રહે છે. તેમના હાથમાં ક્યારેય રૂપિયા આવતાં નથી અને સંકટ મંડરાયેલું રહે છે.


Google NewsGoogle News