શું શનિદેવ હંમેશા ખરાબ પરિણામ જ આપે છે? આ લોકોએ શનિદેવથી ડરવાની જરુર નથી

Updated: Aug 20th, 2024


Google NewsGoogle News
શું શનિદેવ હંમેશા ખરાબ પરિણામ જ આપે છે?  આ લોકોએ શનિદેવથી ડરવાની જરુર નથી 1 - image


Shani Dev: એક સામાન્ય માન્યતા છે કે, શનિની છાયા અને દૃષ્ટિ જીવનમાં અશુભ પરિણામ આપે છે. શનિની સાડે સતી, શનિ મહાદશા અને અંતર્દશા દરમિયાન લોકો પરેશાન થાય છે. લોકો ડરના કારણે શનિદેવના ઉપાયો કરતા જોવા મળે છે. પરંતુ શું શનિ માત્ર ખરાબ પરિણામો જ આપે છે? શનિથી શા માટે ડરવું જોઈએ? આવા ઘણા સવાલો છે જેને આપણે દુર કરવાની જરુર છે. 

શનિ કોણ છે?

શનિ વિશેનું વર્ણન પદ્મ પુરાણ અને બ્રહ્મવૈવર્ત પુરાણમાં પણ જોવા મળે છે. એક દંતકથા અનુસાર, એકવાર ધનની દેવી લક્ષ્મીએ શનિદેવને એક પ્રશ્ન પૂછ્યો-"હે શનિદેવ, તમે બધા લોકોને ધનની હાનિ કરો છો, તમારા દર્શનથી બધાને કેમ દુઃખ થાય છે."

શનિદેવે જવાબ આપ્યો - "મા, આમાં મારો કોઈ દોષ નથી, ભગવાન શિવે મને ત્રણેય લોકના ન્યાયાધીશ બનાવ્યા છે, તેથી જે કોઈ ખોટું અને અનૈતિક કાર્ય કરે છે તેને સજા મળવી જ જોઈએ."

શનિથી કોને ડરવું જોઈએ નહીં 

જો તમે શનિની ક્રૂર દૃષ્ટિથી બચવા માંગતા હોવ તો તમારે એવા કાર્યો ક્યારેય ન કરવા જોઈએ જે ખોટા હોય. જે લોકો નિયમોનું પાલન કરતા નથી. જેઓ બીજાને પરેશાન કરે છે, જેઓ બીજાના પૈસા, જમીન, સન્માનને છીનવવાનો પ્રયાસ કરે છે તેમને શનિદેવ ક્યારેય માફ કરતા નથી. જ્યારે સમય આવે છે ત્યારે શનિદેવ આ ખોટા કાર્યોની સજા આપતા રહે છે.

શનિને શાંત રાખવા શું કરવું

શનિદેવને જૂઠું બોલનાર અને દેખાડો કરનારા લોકો પસંદ નથી તેથી તેમને ટાળવા જોઈએ. શનિ જીવનમાં શુભ ફળ આપે તેના માટે તમારે કોઈ અશુભ કામ ન કરવું જોઈએ, નબળા લોકોની મદદ કરવી જોઈએ અને તેમના કલ્યાણ માટે કામ કરવું જોઈએ. જેઓ મહેનત કરીને પોતાનું અને પોતાના પરિવારનું ભરણપોષણ કરે છે, તેમને કોઈ પણ સંજોગોમાં હેરાન ન કરવા જોઇએ. આવું કરવાથી શનિ ભયંકર પરિણામ આપે છે, ભવિષ્યના બાળકોને પણ આવા પાપની સજા ભોગવવી પડે છે.

તેથી, બને ત્યાં સુધી, લોકોની મદદ કરો. તેમને આગળ વધવા માટે પ્રોત્સાહિત કરો. જો તમે આ કરો છો તો શનિદેવ ચોક્કસપણે તમને શુભ પરિણામ આપશે અને તમને જીવનમાં મોટી સફળતા અપાવશે.


Google NewsGoogle News