Diwali 2023 : ચોપડા, સોનું-ચાંદી કે ઘરેણાં ખરીદવા માટેનો શ્રેષ્ઠ યોગ, દિવાળી-નવા વર્ષના તહેવારોના જાણો મૂહુર્ત-સમય

ચોપડા-સોનું-ચાંદી-આભૂષણ-સિક્કા'', ''ગુજરાત સમાચાર'' પંચાગ ખરીદવા, ઓર્ડર આપવા માટે શ્રેષ્ઠ પુષ્ય નક્ષત્રનો યોગ

આસો વદ ચૌદશ તા. ૧૨/૧૧/૨૦૨૩ રવિવારના રોજ દિવાળી અને ૧૪/૧૧/૨૦૨૩ મંગળવાર ના રોજ બેસતુ વર્ષ

Updated: Nov 1st, 2023


Google NewsGoogle News
Diwali 2023 : ચોપડા, સોનું-ચાંદી કે ઘરેણાં ખરીદવા માટેનો શ્રેષ્ઠ યોગ, દિવાળી-નવા વર્ષના તહેવારોના જાણો મૂહુર્ત-સમય 1 - image

હિંદુ પંચાગ અનુસાર, શ્રાવણ મહિનાથી સાથે જ તહેવારોની ફૂલગુલાબી સીઝન શરૂ થઈ જાય છે. આ તહેવારોની હારમાળામાં દિવાળી સૌથી શ્રેષ્ઠ તહેવાર ગણાય છે. કારતક મહિનાની અમાસના દિવસે ઉજવાતા પ્રકાશ પર્વ, દિવાળીનું અનેરૂં મહત્વ હોય છે. ગુજરાતવાસીઓ માટે તો દિવાળીનો અનેરો જ ઉત્સાહ હોય છે કારણ કે દેવ ઉઠી એકાદશી શરૂ થતું આ પર્વ સામાન્ય રીતે લાભ પાંચમે પૂર્ણ થાય છે. જોકે અન્ય પ્રદેશોમાં ધનતેરસથી શરૂ કરીને ભાઈબીજ એટલે કે પાંચ દિવસ સુધીનો દિવાળીનો તહેવાર મનાવાય છે.

આ વર્ષે દિવાળી 12 નવેમ્બર 2023 (Diwali 2023 Date)ના રોજ આવી રહી છે. પાંચ દિવસ ચારે બાજુ ભક્તિ અને હર્ષોલ્લાસનો માહોલ હોય છે અને તેની તૈયારીઓ ઘણા દિવસો પહેલાથી જ શરૂ થઈ જાય છે. તો આવો આપણે જાણીએ આ પંચદિવસીય તહેવારના યોગ, મૂહુર્ત અને સમય અંગે.

પુષ્ય નક્ષત્રનો યોગ (4-11-2023)

આસો વદ સાતમ તા. ૪ નવેમ્બર શનિવારના રોજ સવારના ૭ ક. ૫૯ મિ.થી પુષ્પ નક્ષત્રનો યોગ શરૂ થાય છે.

''ચોપડા-સોનું-ચાંદી-આભૂષણ-સિક્કા'', ''ગુજરાત સમાચાર'' પંચાગ ખરીદવા, ઓર્ડર આપવા માટે શ્રેષ્ઠ.

તા. ૪/૧૧/૨૩ આસો વદ સાતમ શનિવારને સવારે ૭ ક. ૫૯ મિ. થી પુષ્ય નક્ષત્ર શરૂ થાય છે. નવા વર્ષના ચોપડા લાવવા-ખરીદવા-ઓર્ડર આપવા, તેમજ સોનું-ચાંદી-આભૂષણ-સિક્કા, તેમજ ''ગુજરાત સમાચાર'' પંચાગ ખરીદવા ઓર્ડર આપવાનો શ્રેષ્ઠ સમય

- બપોરના ૧૨ ક. ૨૫ મિ.થી ૪ ક. ૩૦ મિ. સુધી

- સાંજના ૬ ક. ૦૪ મિ. થી ૭ ક. ૩૫ મિ. સુધી

- રાતના ૯ ક. ૧૫ મિ.થી ૧૨ ક. ૨૦ મિ. સુધી

રવિપુષ્ય નક્ષત્રનો શ્રેષ્ઠયોગ (5-11-2023)

આસોવદ આઠમ રવિવાર તા. ૫/૧૧/૨૦૨૩ ના રોજ સવારના ૧૦ ક. ૩૦ મિ. સુધી પુષ્ય નક્ષત્ર છે. તેથી રવિપુષ્ય નક્ષત્રનો શ્રેષ્ઠયોગ બને છે.

સોના-ચાંદી-ચોપડા-આભૂષણ-સિક્કા ''ગુજરાત સમાચાર'' પંચાગ ખરીદવા-ઓર્ડર આપવા માટે શ્રેષ્ઠ દિવસ

તા. ૫/૧૦/૨૦૨૩ આસો વદ આઠમ રવિવારે સવારના ૧૦ ક. ૩૦ મિ. સુધી રવિપુષ્ય નક્ષત્રનો શ્રેષ્ઠયોગ બને છે. નવા વર્ષના ચોપડા લાવવા-ખરીદવા-ઓર્ડર આપવા તેમજ સોનું-ચાંદી આભૂષણ-સિક્કા ''ગુજરાત સમાચાર'' પંચાગ ખરીદવા-ઓર્ડર આપવા માટે શ્રેષ્ઠ દિવસ છે.

સમય - સવારના ૭ ક. ૦૫ મિ.થી ૧૦ ક. ૩૦ મિ. સુધી

ધનતેરસ-ધન્વંતરી જયંતી (10-11-2023)

આસો વદ બારસ તા. ૧૦/૧૧/૨૦૨૩ શુક્રવારના રોજ ધનતેરસ છે. ધન્વંતરી જયંતી છે. ધનપૂજન, ધન્વતંરી પૂજન તેમજ યમદીપદાન કરવું.

ધનપૂજનનો સમય :-

- બપોરના ૧૨ ક. ૨૫ મિ. થી ૧ ક. ૩૫ મિ. સુધી

- બપોરના ૪ ક. ૩૫ મિ. થી ૫ ક. ૫૫ મિ. સુધી

- રાત્રે ૯ ક. ૧૦ મિ.થી ૧૦ ક. ૪૫ મિ. સુધી

- રાતના ૧૨ ક. ૨૫ મિ.થી ૩ ક. ૩૫ મિ. સુધી

(જેમને ચોપડા લાવવાના બાકી હોય તેઓ ઉપરોક્ત સમયમાં ચોપડા ખરીદી શકે છે.)

કાળીચૌદશ (11-11-2023)

આસો વદ તેરસ તા. ૧૧/૧૧/૨૦૨૩ શનિવારના રોજ કાળીચૌદશ છે. હનુમાન જયંતી છે. ભૈરવપૂજા, બટુક પૂજન, વીરા પૂજા, હનુમાનજીની પૂજા, મહાકાલી પૂજન અને દશ મહાવિદ્યાઓની આરાધના માટે શ્રેષ્ઠ દિવસ તાંત્રિક કાર્યો માટે ઉત્તમ દિવસ. રાત્રિ સાધના ઉત્તમ રહે.

સમય:-

- બપોરે ૧૨ ક. ૩૦ મિ.થી ૪ ક. ૩૦ મિ. સુધી

- સાંજના ૬ ક. ૦૦ મિ.થી ૭ ક. ૩૦ મિ. સુધી

- રાત્રે ૯ ક. ૧૫ મિ.થી ૨ ક. ૦૦ મિ. સુધી

દિવાળી-દીપાવલી (12-11-2023)

આસો વદ ચૌદશ તા. ૧૨/૧૧/૨૦૨૩ રવિવારના રોજ દિવાળી-દીપાવલીનું શુભ વર્ષ છે. લક્ષ્મીપૂજન-શારદાપૂજન માટે શ્રેષ્ઠ દિવસ છે. નરક ચતુર્દશી-રૂપ ચતુર્દશી પણ છે.

સમય:-

- સવારના ૮ ક. ૨૦ મિ. થી બપોરના ૧૨ ક. ૨૦ મિ. સુધી

- બપોરના ૧ ક. ૩૦ મિ.થી ૨ ક. ૪૫ મિ. સુધી

સ્વાતિયુક્ત અમાવસ્યા

- બપોરના ૨ ક. ૪૫ મિ. થી ૩ ક. ૧૦ મિ. સુધી

- સાંજના ૫ ક. ૫૮ મિ. થી ૧૦ ક. ૪૫ મિ. સુધી

- રાતના ૧૨ ક. ૪૦ મિ.થી ૨ ક. ૪૫ મિ. સુધી

બેસતુ વર્ષ : વિક્રમ સંવત-૨૦૮૦ (14-11-2023)

વિક્રમ સંવત ૨૦૮૦નો પ્રારંભ કારતક સુદ એકમ તા. ૧૪/૧૧/૨૦૨૩ મંગળવાર ના રોજ થાય છે. બેસતુ વર્ષ, નૂતન વર્ષ છે.

પરંપરાગત પ્રણાલિ પ્રમાણે બેસતા વર્ષે મુહુર્ત કરનારે નવા વર્ષનું મુહુર્ત કરવું.

નવા વર્ષે પેઢી ખોલવાનું-મુહુર્ત કરવાનો સમય

- સવારના ૯ ક. ૪૦ મિ. થી બપોરના ૧ ક. ૪૫ મિ. સુધી.

ભાઈબીજ, યમ દ્વિતિયા, ગોવર્ધન પૂજા, અન્નકૂટ (15-11-2023)

લાભ પાંચમ (18-11-2023)

કારતક સુદ પાંચમ શનિવાર તા. ૧૮/૧૧/૨૦૨૩ના રોજ લાભ પાંચમ છે. શ્રી પંચમી સૌભાગ્ય પંચમી, પાંડવપંચમી છે. જૈન જ્ઞાનપંચમી છે.

આજે લાભપાંચમ-શ્રીપંચમીએ વેપાર-ધંધાના મુર્હુત કરવા-સોદા કરવા, પેઢી ખોલવા માટે ઉત્તમોત્તમ દિવસ છે. વિદ્યાભ્યાસનો પ્રારંભ કરવા, જ્ઞાન પ્રાપ્ત કરવા આજનો દિવસ શ્રેષ્ઠ છે.

સમય:-

- સવારના ૮ ક. ૨૦ મિ.થી ૯ ક. ૪૦ મિ. સુધી
- બપોરના ૧૨ ક. ૩૦ મિ. થી ૧ ક. ૪૫ મિ. સુધી

જલારામ જયંતી (19-11-2023)

કારતક સુદ-છઠ તા. ૧૯/૧૧/૨૦૨૩ રવિવારના રોજ જલારામ જયંતી છે. આજે ભાગીતિથિ છે. સાતમનો ક્ષય છે.

દેવઉઠી એકાદશી (23-11-2023)

કારતક સુદ-અગીયારસ તા. ૨૩/૧૧/૨૦૨૩ ગુરૂવારના રોજ દેવઉઠી એકાદશી, પ્રબોધીની એકાદશી છે.

દેવ દિવાળી (27-11-2023)

કારતક સુદ-પૂનમ તા. ૨૭/૧૧/૨૦૨૩ સોમવાર ના રોજ દેવ દિવાળીનું શુભ પર્વ છે. શ્રી ગુરુનાનક જયંતી, શ્રી હેમચંદ્રાચાર્ય જયંતી છે. કાર્તિક સ્નાન તેમજ તુલસી વિવાહની સમાપ્તિ આજરોજ થશે. જૈન સિધ્યાચલજીની યાત્રા, કાર્તિકસ્વામિ દર્શન થશે. પુષ્કરમાં તેમજ સિધ્યપુરમાં મેળો ભરાશે.

અગ્નિદત્ત પદ્મનાભ (અગ્નિહોત્રી)


Google NewsGoogle News