દેવપોઢી અગિયારસનું વ્રત 16 કે 17 જુલાઈ, જાણો સાચી તિથિ, મુહૂર્ત અને પારણાનો સમય

Updated: Jul 11th, 2024


Google NewsGoogle News
દેવપોઢી અગિયારસનું વ્રત 16 કે 17 જુલાઈ, જાણો સાચી તિથિ, મુહૂર્ત અને પારણાનો સમય 1 - image


Devshayani Ekadashi 2024: હિન્દુ ધર્મમાં અગિયારસ વ્રતનું વિશેષ મહત્ત્વ રહેલું છે. આ વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત છે. એકાદશીના દિવસે વ્રત રાખવા અને યોગ્ય રીતે પૂજા કરવાથી શ્રી હરિની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. એકાદશી વ્રત મહિનામાં બે વાર કરવામાં આવે છે, પ્રથમ શુક્લ પક્ષમાં અને બીજુ કૃષ્ણ પક્ષમાં. અષાઢ શુક્લ પક્ષની એકાદશી તિથિને દેવશયની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. તેને હરિષાયની, પદ્મનાભ અને યોગનિદ્રા એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે.

હિંદુ ધર્મની માન્યતાઓ પ્રમાણે ભગવાન વિષ્ણુનો શયનકાળ દેવશયની એકાદશીના દિવસથી શરૂ થાય છે, તેથી જ તેને દેવશયની એકાદશી કહેવામાં આવે છે. દેવશયની એકાદશીના ચાર મહિના પછી દેવઉઠની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ જાગે છે. આવો આજે એ જાણીએ કે, આ વર્ષે દેવશયની એકાદશીનું વ્રત ક્યારે રાખવામાં આવશે અને પૂજા મુહૂર્તથી પારણાનો સંય કયો છે. 

વર્ષ 2024 માં દેવશયની એકાદશી ક્યારે છે?

હિંદુ પંચાંગ પ્રમાણે અષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિ 16 જુલાઈ, 2024 ના રોજ રાત્રે 8:33 વાગ્યાથી શરૂ થશે, અને  17 જુલાઈએ રાત્રે 9:02 કલાકે સમાપ્ત થશે. 17મી જુલાઈ 2024, બુધવારના રોજ દેવશયની એકાદશી વ્રત રાખવામાં આવશે.

દેવશયની એકાદશી વ્રત 2024 નો પારણું

અગિયારસનુ પારણું બીજા દિવસે સૂર્યોદય પછી કરવામાં આવે છે. અગિયારસનું વ્રત બારસના અંત પહેલા તોડી નાખવું જોઈએ. તમને જણાવી દઈએ કે દેવશયની એકાદશી 18 જુલાઈના રોજ મનાવવામાં આવશે. દેવશયની એકાદશીના પારણાનો સાચો સમય 18 જુલાઈના રોજ સવારે 5:35 થી 8:20 વચ્ચેનો રહેશે. 18 જુલાઈના રોજ સવારે 8.44 કલાકે બારસ તિથિની પૂર્ણાહુતિ કરવામા આવશે. 

દેવશયની એકાદશીનું મહત્ત્વ

એવી માન્યતા છે કે,  દેવશયની એકાદશીના દિવસથી ભગવાન શ્રી વિષ્ણુ આરામ માટે ક્ષીર સાગરમાં જતા રહે છે. અને સમગ્ર ચાર મહિના સુધી ત્યાં રહેશે. ભગવાન શ્રી હરિના શયનકાળના આ ચાર મહિનાને ચાતુર્માસ તરીકે ઓળખવામા આવે છે. આ ચાર મહિનામાં શ્રાવણ, ભાદરવો, આસો અને કારતક માસનો સમાવેશ થાય છે. ચાતુર્માસ શરુ થતાની સાથે હિંદુ ધર્મમાં માંગલિક કાર્યો વર્જિત માનવામાં આવે છે. દેવશયની એકાદશીનું વ્રત રાખવાથી અને ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીની પૂજા કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિની પ્રાપ્ત થાય છે.


Google NewsGoogle News