Shani Margi 2023: દિવાળી પહેલા આ 4 રાશિના જાતકોની લાગશે લોટરી, શનિ બદલશે ચાલ

Updated: Oct 5th, 2023


Google NewsGoogle News
Shani Margi 2023: દિવાળી પહેલા આ 4 રાશિના જાતકોની લાગશે લોટરી, શનિ બદલશે ચાલ 1 - image


                                                              Image Source: Twitter

અમદાવાદ, તા. 05 ઓક્ટોબર 2023 ગુરૂવાર

આ વખતે દિવાળી પહેલા શનિ દેવ પોતાની ચાલ બદલવાના છે. 4 નવેમ્બર શનિવારના દિવસે શનિની ઉલટી ચાલ બંધ થઈ જશે અને તે દિવસે બપોરે 12.31 મિનિટે કુંભમાં શનિ માર્ગી થશે. 17 જૂને શનિની વક્રી ગતિ પ્રારંભ થઈ હતી, 140 દિવસ બાદ શનિ માર્ગી થવાના છે. શનિના માર્ગી થવાથી 4 રાશિના જાતકોની લોટરી લાગી હોય તેવી સ્થિતિ બનશે. તેમની પર માતા લક્ષ્મીની કૃપા થશે અને ધન, સંપત્તિમાં વૃદ્ધિ થઈ શકે છે. 

કુંભમાં શનિ માર્ગી 2023: 4 રાશિના જાતકોની બદલાશે કિસ્મત

મેષ

દિવાળી પૂર્વે શનિ માર્ગી થવાથી તમારી રાશિના લોકોની કિસ્મત ચમકી શકે છે કેમ કે વેપારમાં મોટા ધન લાભના સંકેત છે. વેપારમાં તમારા કાર્યનો વિસ્તાર થઈ શકે છે. શનિની કૃપાથી તમારા વેપારમાં પ્રગતિ થશે. 

તમે કોઈને ઉધાર રૂપિયા આપ્યા હોય તો તે પાછા મળી શકે છે. અટકેલુ ધન પાછુ મળવાની ખુશી થશે. નોકરિયાત લોકો માટે સમય સારો રહેશે. સહકર્મચારીઓનો સહયોગ પ્રાપ્ત થશે. નવી તક મળી શકે છે.

વૃષભ

શનિ માર્ગી થવાથી ભાગ્યનો સાથ મળશે. તમને કોઈ સારા સમાચાર મળી શકે છે. માતા લક્ષ્મીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. જૂના અટકેલા કાર્યો પૂરા થશે જેનાથી મન પરથી મોટો બોજ ઉતરી જશે. ઘરમાં શુભ કાર્ય થઈ શકે છે કે પછી તમે પરિવારની સાથે ધાર્મિક યાત્રા પર જઈ શકો છો. કાર્ય સ્થળે તમને મદદ મળશે. બોસ તમારાથી ખુશ રહેશે. ધન લાભ થઈ શકે છે. 

મિથુન

શનિની કૃપાથી તમને દિવાળી પહેલા કોઈ સારા સમાચાર મળી શકે છે. તમારા આવકમાં સ્ત્રોતમાં વૃદ્ધિ થશે, જેનાથી તમારી આર્થિક સ્થિતિમાં ઝડપથી સુધારો થશે જોકે આ દરમિયાન તમારા ખર્ચ પણ વધશે. નકામા ખર્ચા પર નિયંત્રણ રાખીને તમે બચત કરી શકો છો. કલા, મનોરંજનના ક્ષેત્રો જોડાયેલા લોકો માટે સમય અનુકૂળ રહેશે. 

ધન

દિવાળી પહેલા તમારી પર શનિ દેવ પ્રસન્ન રહેશે. તમે જે પણ કાર્ય કરશો, તેમાં સફળતા પ્રાપ્ત થશે. મહેનત કરેલી બેકાર નહીં જાય. મહેનતનું ફળ ચોક્કસ પ્રાપ્ત થશે. નોકરિયાત લોકોને પ્રગતિના અવસર પ્રાપ્ત થશે. તેને હાથમાંથી જવા ન દેશો. તમારી પર માતા લક્ષ્મીની કૃપા રહેશે. જેનાથી તમારી સુખ અને સમૃદ્ધિમાં વધારો થશે. પારિવારિક જીવન સુખમય થશે. 


Google NewsGoogle News