દશેરા પર બની રહ્યો છે શુભ યોગ, તુલા, ધન સહિત 5 રાશિઓ પર થશે દેવીની ખાસ કૃપા
Image Source: Freepik
અમદાવાદ, તા. 23 ઓક્ટોબર 2023 સોમવાર
દશેરા પર આ વખતે ખૂબ જ શુભ સંયોગ બની રહ્યો છે. મંગળ અને સૂર્ય તુલા રાશિમાં બિરાજમાન છે જેનાથી આદિત્ય મંગલ યોગ બન્યો છે. સંયોગથી આ વખતે દશેરા પણ મંગળવારે છે મંગળને જ્યોતિષ શાસ્ત્રમાં યુદ્ધનો સ્મારક ગ્રહ માનવામાં આવ્યો છે. તેમને ગ્રહોના સેનાપતિ પણ કહેવામાં આવે છે. સંયોગથી મંગળની સાથે ગ્રહોના રાજા સૂર્ય પણ તુલા રાશિમાં હશે. તેમને ગ્રહોના રાજકુમાર બુધનો પણ સાથ મળશે. દરમિયાન દશેરા અને અસુરી શક્તિઓના પ્રભાવમાં કાર્ય કરનાર લોકો માટે કષ્ટકારી હશે. આગામી એક વર્ષ સુધી નકારાત્મક અને અસામાજિક કામ કરનાર લોકો સાચવીને રહે કેમ કે તેમને સરકાર પાસેથી દંડ મળી શકે છે. સાથે જ તેમને કોઈ ભારે નુકસાન થવાની પણ શંકા છે. જ્યારે આ ગ્રહ યોગ જણાવી રહ્યો છે કે જે સદ્માર્ગ પર ચાલનાર છે જે ધાર્મિક પ્રવૃતિના વ્યક્તિ છે તેમના માટે શુભ અને લાભકારી રહેશે.
મિથુન રાશિ: સુખ સમૃદ્ધિના આશીર્વાદ મળશે
તમારા માટે દશેરા પર બનનાર આદિત્ય મંગળ યોગ સુખ સમૃદ્ધિના આશીર્વાદ લઈને આવ્યો છે. તમને દેવી જયા અને વિજયાની કૃપાથી લાભ અને પ્રગતિની તક મળતી રહેશે. છેલ્લા ઘણા સમયથી જે મુશ્કેલીઓમાંથી તમે પસાર થઈ રહ્યા હતા તેનાથી તમને હવે રાહત મળશે. મહિનાના અંતમાં રાહુ કેતુના રાશિ પરિવર્તન બાદથી તમારી કિસ્મતના દરવાજા પર રહેલો અવરોધ દૂર થઈ જશે અને તમારા કાર્યની કાર્યક્ષેત્રમાં પ્રશંસા થશે. જે લોકો નોકરીમાં પરિવર્તન માટે પ્રયત્ન કરી રહ્યા છે તેમને પોતાના પ્રયાસમાં સફળતા મળશે. લવ લાઈફમાં પણ તેમને પ્રેમ અને અપેક્ષિત સહયોગ મળશે. સંતાન પક્ષ તરફથી ખુશી મળશે.
સિંહ રાશિ: રોકાણથી લાભના યોગ
તમારા રાશિના સ્વામી સૂર્ય તુલા રાશિમાં બુધાદિત્ય યોગ અને આદિત્ય મંગલ યોગ બનીને દશેરા પર સંચાર કરી રહ્યા છે. આ શુભ યોગના પ્રભાવથી તમારી કીર્તિ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. ભાઈઓ સાથે જો મતભેદ ચાલી રહ્યો છે તો તમારા સંબંધમાં સુધારો થશે. કોર્ટ કચેરીના મામલે તમને સફળતા મળશે. આર્થિક મામલે તમને દીર્ઘકાલીન નિવેશમાં લાભ મળશે. તમે કેટલાક મોટા સાહસિક નિર્ણય લઈને લાભ મેળવી શકશો. જો તમે વાહન ખરીદવાનું આયોજન કરી રહ્યા છો તો તમને તમારા પ્રયત્નમાં સફળતા મળશે. સુખ સાધનોનો લાભ મળશે.
તુલા રાશિ: વેપારમાં લાભ મળશે
તમારી રાશિમાં દશેરા પર આદિત્ય મંગળ યોગ બનેલો છે. આ શુભ યોગના પ્રભાવથી તમારા માટે પ્રગતિના દરવાજા ખુલી રહ્યા છે. તમારા સરકારી ક્ષેત્ર સંબંધિત કામ પૂરા થશે. નોકરી વેપારમાં તમને વરિષ્ઠજનો અને અધિકારીઓ પાસેથી મદદ અને લાભ મળી શકે છે. તમને પોતાના કાર્યક્ષેત્રમાં અમુક મોટી જવાબદારી મળી શકે છે. વેપારમાં તમે અમુક નવી યોજના હેઠળ કામ કરશો જેનો લાભ તમને ભવિષ્યમાં મળશે.
ધન રાશિ: લાભ અને પ્રગતિનો સંયોગ
ધન રાશિના જાતકો માટે આદિત્ય મંગળ યોગ લાભ અને ઉન્નતિનો સંયોગ બની રહ્યો છે. આ શુભ યોગના પ્રભાવથી ધન રાશિના જાતકોને આર્થિક ક્ષેત્રે પ્રગતિની તક મળશે. જે જાતક પ્રોપર્ટીમાં રોકાણ કરવા ઈચ્છી રહ્યા છે તેમને ભાગ્ય સફળ બનાવશે. પિતા અને પૈતૃક સંપત્તિનો પણ તમને લાભ મળશે. લગ્નની વાત ચાલી રહી છે તો વાત પાક્કી થશે અને ઘરમાં આનંદનો માહોલ રહેશે. ધાર્મિક યાત્રાનો પણ સંયોગ બનશે. વાહન સુખની પ્રાપ્તિનો પણ સંયોગ બનતો જોવા મળી રહ્યો છે.
મીન: પદ પ્રતિષ્ઠાનો લાભ મળશે
મીન રાશિના જાતકો માટે દશેરા પર બનેલો આદિત્ય મંગળ યોગ વિરોધીઓ પર શત્રુઓ પર વિજય અપાવનારો રહેશે. તમને કોઈ વિવાદિત વિષયમાં સફળતા મળશે. રાજકારણ સાથે જોડાયેલા જાતકોને જન સમર્થનનો લાભ મળશે. જે જાતક ગત અમુક સમયથી બીમાર ચાલી રહ્યા છે તેમના આરોગ્યમાં સુધારો થશે. નોકરીમાં તમને પદ પ્રતિષ્ઠાનો લાભ મળતો જોવા મળી રહ્યો છે. તમને ડૂબેલુ અને ફસાયેલુ ધન પાછુ મળી શકે છે.