શનિની ચાલ બદલાતાં 3 રાશિઓ પર મહાસંકટ, કંગાળ થવાના એંધાણ, કરો આ 5 ઉપાય

Updated: Aug 4th, 2024


Google NewsGoogle News
શનિની ચાલ બદલાતાં 3 રાશિઓ પર મહાસંકટ, કંગાળ થવાના એંધાણ, કરો આ 5 ઉપાય 1 - image


Change in Shani's movement: વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિદેવ ખૂબ જ ધીમી ગતિએ ચાલતો ગ્રહ છે. શનિની આ ધીમી ગતિ તેની અસરને વ્યાપક અને પ્રભાવી બનાવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં જેને ન્યાયના દેવતા અને કર્મના પરિણામોના સ્વામી તરીકે ગણવામાં આવ્યા છે, એવા શનિદેવની માત્ર રાશિ પરિવર્તન જ નહીં, પણ નક્ષત્રમાં પરિવર્તનની પણ દેશ, વિશ્વ, હવામાન અને રાશિચક્ર પર અસર પડે છે.

18 ઓગસ્ટ, 2024 રવિવારના રોજ શનિ પૂર્વ ભાદ્રપદ નક્ષત્રના બીજા તબક્કા(પદ)ને છોડીને પૂર્વ ભાદ્રપદના પહેલા ચરણમાં પ્રવેશ કરશે. અત્યારે શનિદેવ પોતાની રાશિ કુંભમાં વક્રી થયા છે અને ઉલટી દિશામાં આગળ વધી રહ્યા છે. જો કે શનિની ચાલમાં પરિવર્તનની તમામ રાશિઓ પર અસર થવાની સંભાવના છે, પરંતુ 3 રાશિના જાતકોના જીવનમાં મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. અને તેમના જીવનમાં ખરાબ સ્થિતિ આવવાની શરૂઆત થઈ શકે છે. ચાલો જાણીએ આ 3 રાશિઓ કઈ છે?

મિથુન રાશિ

વૈદિક જ્યોતિષ શાસ્ત્રના સૌથી શક્તિશાળી ગ્રહ શનિની ચાલમાં ફેરફારને લીધે મિથુન રાશિના જાતકો પર તેમની વિપરીત અસર થઇ શકે છે. તમારા સ્વભાવમાં ગુસ્સો અને આક્રમકતા વધી શકે છે. એક તરફ ધનપ્રાપ્તિની ગતિમાં ઘટાડો થશે તો બીજી તરફ ભૌતિક સુખ પ્રાપ્ત કરવાની મહત્વાકાંક્ષા વધશે. જાતકોમાં અનૈતિક માધ્યમથી પૈસા કમાવવાનો પ્રયાસ કરી શકે છે. ધંધામાં આર્થિક નુકસાન થવાની સંભાવના છે. વિદ્યાર્થીઓની પોતાની કોમ્યુનિકેશન સ્કીલમાં અવરોધ આવી શકે છે, તમારી ક્ષમતા પર શંકા થઈ શકે છે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ તમારા કામ પર નકારાત્મક અસર પાડી શકે છે. પારિવારિક વિખવાદને કારણે તમે દુઃખી રહેશો.

આ પણ વાંચો: વાંચો તમારું 04 ઓગસ્ટ 2024નું રાશિ ભવિષ્ય

સિંહ રાશિ

સિંહ રાશિના જાતકોના જીવન પર શનિની ચાલ બદલવાથી નકારાત્મક અસર થઇ શકે છે. પરિવાર અને મિત્રો સાથેના સંબંધોમાં તણાવ વધવાના યોગ બની રહ્યા છે. ધંધામાં પૈસાના આર્થિક સંકટ આવી શકે છે. પૈસાના પ્રવાહમાં ઘટાડો થવાથી માનસિક તણાવ અને ચિંતામાં વધારો થશે. આર્થિક સંકટના કારણે માનસિક સમસ્યા ઊભી થઈ શકે છે અથવા ઇન્ફેકશનથી કોઈ રોગ પણ થઈ શકે છે. મિત્રો તમને દગો આપી શકે છે. પુત્ર અથવા પુત્રી હોવાને કારણે તમારી સામાજિક પ્રતિષ્ઠામાં ઘટાડો થવાની સંભાવના છે. નોકરિયાત લોકોને ઓફિસમાં સહકર્મીઓ સાથેના સંબંધોમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

વૃશ્ચિક રાશિ

શનિની ચાલમાં પરિવર્તનથી વૃશ્ચિક રાશિના જાતકોના સ્વભાવમાં ચીડિયાપણું અને અહંકાર વધી શકે છે. જે તમારા બધા જ સંબંધોને અસર કરી શકે છે. બિઝનેસ પાર્ટનર સાથેની લડાઈથી બિઝનેસ પર નકારાત્મક અસર થઇ શકે. વિવાહિત જીવનમાં મુશ્કેલી આવી શકે છે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓમાં માનસિક તણાવમાં વધારો કરી શકે. વિદ્યાર્થીઓની કારકિર્દીમાં અસ્થિરતા રહેશે અને મન અશાંત રહેશે. નોકરિયાત લોકોને તેમના બોસ દ્વારા ઠપકો મળી શકે છે. પારિવારિક સુખ-સુવિધાઓનો અભાવ થઇ શકે છે.

શનિદેવના દુષ્પ્રભાવથી બચવાના ઉપાય

જ્યોતિષીઓના મતે, મિથુન, સિંહ અને વૃશ્ચિક રાશિના લોકો શનિની ચાલમાં પરિવર્તનના કારણે આવનાર સંકટથી બચવા માટે નીચે જણાવેલા ઉપાયો અપનાવી શકે છે.

• ભિખારીઓને ખીચડી, રોટલી, શાકભાજી અને ફળ આપવાથી શનિની સમસ્યા દૂર થઈ શકે છે.

• કાળી ગાયને સરસવના તેલમાં ચોપડેલી રોટલી ખવડાવવાથી ફાયદો થાય છે.

• વાંદરાને કેળા, ગાજર, મૂળા, પલાળેલા ચણા ખવડાવવાથી શનિની સમસ્યા ઓછી થાય છે.

• માછલીને લોટથી બનેલી ગોળીઓ ખવડાવવાથી ફાયદો થાય છે.

• કબૂતરોને ચણ આપવાથી શનિની સમસ્યા પણ દૂર થાય છે.

શનિની ચાલ બદલાતાં 3 રાશિઓ પર મહાસંકટ, કંગાળ થવાના એંધાણ, કરો આ 5 ઉપાય 2 - image


Google NewsGoogle News