અક્ષય તૃતીયા પર બની રહ્યો છે શુભ સંયોગ: આ રાશિના જાતકો પર થશે લક્ષ્મીજીની કૃપા

Updated: Apr 29th, 2024


Google NewsGoogle News
અક્ષય તૃતીયા પર બની રહ્યો છે શુભ સંયોગ: આ રાશિના જાતકો પર થશે લક્ષ્મીજીની કૃપા 1 - image
Image Twitter 

Akshaya Tritiya 2024:  હિન્દુ ધર્મમાં વૈશાખ મહિનાની શુક્લ પક્ષની ત્રીજ તિથિને દેશભરમાં અખાત્રીજ એટલે કે, અક્ષય તૃતીયાનું પર્વ ધામ-ધૂમથી ઉજવવામાં આવે છે. જેમા પૌરાણિક માન્યતાઓ પ્રમાણે આ દિવસે કરવામાં આવેલા શુભ અને ધાર્મિક કાર્યોને અક્ષત ફળ મળે છે. એટલે કે વિશેષ ફળ મળે છે. 

આ વખતે અક્ષત તૃતીયા 10 મે, શુક્રવારના દિવસે ઉજવવામાં આવશે. આ વખતે અખાત્રીજને ખૂબ જ ખાસ માનવામાં આવી રહી છે. હકીકતમાં આ વખતે અખાત્રીજ પર ગજ કેસરી યોગ, ધન યોગ, શુક્રાદિત્ય યોગ, રવિ યોગ અને સુકર્મા યોગનું નિર્માણ થઈ રહ્યું છે. 

આ શુભ યોગ બનવા સાથે કેટલીક રાશિઓ પર માં લક્ષ્મીની કૃપા થશે અને જીવનમાં ધન- સંપત્તિ આવશે. તો આવો જાણીએ કે, કઈ કઈ રાશિઓને આ યોગનો લાભ મળવાનો છે. 

વૃષભ રાશિ

અખાત્રીજ પર વૃષભ રાશિવાળાના જીવનમાં ધન- દૌલતમાં વધારો થશે. વૃષભ રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે. બિઝનેસમાં તરક્કી થશે. આર્થિક સ્થિતિ સારી થશે.

મિથુન રાશિ

અખાત્રીજ પર બની રહેલો આ શુભ યોગ મિથુન રાશિવાળા માટે ખૂબ લકી માનવામાં આવે છે. તેમના જીવનમાં તરક્કીના યોગ બની રહ્યા છે. માં લક્ષ્મીની કૃપા બની રહેશે. 

કર્ક રાશિ

અખાત્રીજ પર કર્ક રાશિવાળાઓને આનંદ મળશે. કર્ક રાશિવાળાના અટકેલા કાર્યો પૂરા થશે. ધન-વૈભવથી તમારુ જીવન ભરાઈ જશે. ધંધા રોજગારમાં સારી એવી સફળતા મળી રહેશે.

તુલા રાશિ

અખાત્રીજ પર તુલા રાશિના જાતકોને ભાગ્યનો પૂરે પુરો સાથ મળી રહેશે. સુખ-સુવિધાઓ પ્રાપ્ત થશે. જીવનમાં દરેક આર્થિક સમસ્યા ખતમ થશે. તુલા રાશિવાળા લોકો આ દિવસે સોનું અવશ્ય ખરીદવું જોઈએ. શુભ થશે. 

ધન રાશિ

અખાત્રીજ પર ધન રાશિના લોકો માટે સફળતાના નવા રસ્તાઓ ખુલશે. સહકર્મચારીઓ સારા સંબંધ બનશે. માં લક્ષ્મીની કૃપાથી જેટલી મહેનત કરશો તેટલુ જ ફળ મળશે. નસીબના સાથ પણ પ્રાપ્ત થશે.  


Google NewsGoogle News