59 વર્ષ બાદ ધનતેરસ પર બની રહ્યો છે દુર્લભ સંયોગ: આ 5 રાશિના જાતકો પર થશે ધન વર્ષા

Updated: Nov 10th, 2023


Google NewsGoogle News
59 વર્ષ બાદ ધનતેરસ પર બની રહ્યો છે દુર્લભ સંયોગ: આ 5 રાશિના જાતકો પર થશે ધન વર્ષા 1 - image


                                                      Image Source: Freepik

અમદાવાદ, તા. 10 નવેમ્બર 2023 શુક્રવાર

પંચાંગ અનુસાર આજે 10 નવેમ્બર 2023 શુક્રવારે ધનતેરસ છે. શુક્રવારના દિવસે ધનતેરસ આવવી ખૂબ શુભ માનવામાં આવે છે. આ સિવાય ધનતેરસના દિવસે ઘણા શુભ યોગનો દુર્લભ સંયોગ બની રહ્યો છે. જે લોકોની કિસ્મત ચમકાવી દેશે. જ્યોતિષ અનુસાર ધનતેરસના દિવસે શુક્ર કન્યા રાશિમાં, ગુરુ મેષ રાશિમાં અને સૂર્ય તુલા રાશિમાં બિરાજમાન રહેશે. તેનાથી ગુરુ મેષ રાશિમાં રહીને સપ્તમ દ્રષ્ટિથી સૂર્યને જોઈ રહ્યા છે. આ સિવાય શનિ મૂળ ત્રિકોણ રાશિમાં રહીને શશ રાજયોગનું નિર્માણ કરી રહ્યા છે. ધનતેરસ પર ગ્રહોનો આ દુર્લભ યોગ શાનદાર સાબિત થઈ શકે છે. 59 વર્ષ બાદ ધનતેરસ પર ગ્રહોનો આ દુર્લભ સંયોગ 5 રાશિના જાતકો માટે ખૂબ શુભ યોગ છે.

ધનતેરસ પર આ રાશિઓની કિસ્મત ચમકશે

મેષ 

મેષ રાશિના જાતકો માટે આ ધનતેરસ ઘણી ભેટ લઈને આવી રહી છે. આ લોકોની કારકિર્દીમાં સારા અવસર મળી શકે છે. આજે કરવામાં આવેલુ રોકાણ તમને લાંબા સમય સુધી લાભ આપશે. તમારા ખર્ચ ઘટશે અને ધન લાભ થશે. તમારી આર્થિક સ્થિતિ સારી થશે.

મિથુન

મિથુન રાશિના જાતકોને ધનતેરસનો પર્વ આવકમાં વધારો કરાવી શકે છે. ધન લાભ થવાના યોગ બની રહ્યા છે. જે લોકો સરકારી નોકરી માટે પ્રયત્ન કરી રહ્યા છે. તેમને સફળતા મળી શકે છે. 

સિંહ

સિંહ રાશિના જાતકો માટે પણ ધનતેરસ શુભ રહેવાની છે. તમને જૂની સમસ્યાઓથી રાહત મળશે. ધન મામલે ફાયદો થશે. સ્થાયી સંપત્તિથી લાભ થશે. કરિયરને લઈને નવા વિકલ્પ સામે આવશે.

મકર

ધનતેરસનો દિવસ ખુશીઓ લઈને આવી રહ્યો છે. જૂની સમસ્યાઓ, કષ્ટ દૂર થશે. દેવામાંથી છુટકારો મળશે. વેપારમાં લાભ થશે. નોકરિયાત લોકો કોઈ મોટી સિદ્ધિ મેળવી શકે છે.

કુંભ

કુંભ રાશિના જાતકોને ધનતેરસ મોટી કમાણી કરવાની તક આપી શકે છે. વેપારી વર્ગના જાતકો માટે આ સમય મોટો લાભ આપશે. તમને જોરદાર ધન લાભના યોગ છે. સ્વાસ્થ્ય પણ સારુ રહેશે.


Google NewsGoogle News