દિવાળીના 4 દિવસ બાદ ચમકશે આ લોકોનું ભાગ્ય, ધનલાભ અને પ્રગતિનો બની રહ્યો છે મજબૂત યોગ

Updated: Nov 11th, 2023


Google NewsGoogle News
દિવાળીના 4 દિવસ બાદ ચમકશે આ લોકોનું ભાગ્ય, ધનલાભ અને પ્રગતિનો બની રહ્યો છે મજબૂત યોગ 1 - image


                                                 Image Source: Freepik

અમદાવાદ, તા. 11 નવેમ્બર 2023 શનિવાર

વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ પોતાના નક્કી સમય પર ગોચર કરે છે અને તમામ રાશિના જાતકોના જીવનને પ્રભાવિત કરે છે. સૂર્ય દર 30 દિવસમાં એક રાશિથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે. દિવાળીના 4 દિવસ બાદ જ 17 નવેમ્બરે સૂર્ય દેવ વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. વૃશ્ચિક રાશિ પર મંગળનું આધિપત્ય થાય છે. મંગળ અને સૂર્યમાં મિત્રતાનો ભાવ છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્ય દેવનું મંગળના ઘરે જવુ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. દરમિયાન આ ગોચરનો પ્રભાવ તમામ રાશિઓના જીવન પર પડવાનો છે પરંતુ 3 રાશિના લોકો એવા છે, જેમને આ દરમિયાન વિશેષ લાભ થશે. આ સમયે તેમને આકસ્મિક ધનલાભ થશે અને પ્રગતિના જોરદાર યોગ બનતા નજર આવી રહ્યા છે.

સૂર્યનું વૃશ્ચિકમાં ગોચર આ રાશિના લોકોને લાભ અપાવશે

સિંહ રાશિ

સૂર્યનું વૃશ્ચિક રાશિમાં ગોચર કરવાથી સિંહ રાશિના જાતકોને વિશેષ લાભ થવાનો છે. સૂર્ય દેવ તમારી ગોચર કુંડલીના ચુતુર્થ ભાવમાં ગોચર કરવા જઈ રહ્યા છે. દરમિયાન સૂર્ય દેવના આશીર્વાદથી તમે પ્રોપર્ટી અને વાહન વગેરે ખરીદી શકો છો. દરમિયાન તમને ભૌતિક સુખોની પ્રાપ્તિ થશે. તમને કરિયરમાં તમારી ઈચ્છાઓને પૂરી કરવામાં સફળતા મળશે. આ દરમિયાન તમને નવી નોકરી પણ મળી શકે છે. એટલુ જ નહીં, વ્યક્તિને કાર્યક્ષેત્રમાં પણ ઉચ્ચ સ્તરનો લાભ મળશે. સૂર્ય દેવની દ્રષ્ટિ તમારા કર્મ ભાવ પર પડવાની છે. સમયાંતરે તમને માન-સન્માન અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થશે.

વૃશ્ચિક રાશિ

સૂર્ય આ રાશિમાં ગોચર કરવાના છે અને આખો એક મહિનો આ રાશિમાં બિરાજમાન રહેશે. દરમિયાન આ રાશિના જાતકો માટે આ ગોચર ખાસ પ્રકારે લાભદાયી રહેશે. સૂર્ય આ રાશિની ગોચર કુંડલીના લગ્ન ભાવમાં ભ્રમણ કરવા જઈ રહ્યા છે. આ સમયે સાહસ અને પરાક્રમમાં વૃદ્ધિ થશે. દરમિયાન તમારા જીવનમાં ખુશીઓ આવશે. વિદેશોમાંથી આ સમયે ધન લાભ થઈ શકે છે. વૈવાહિક જીવનમાં ખુશીઓ આવશે. બિઝનેસમાં પણ આ દરમિયાન આ રાશિના લોકોને ઘણા મહત્વપૂર્ણ પરિવર્તન જોવા મળશે. આ સમયે તમે નવો વેપાર શરૂ કરી શકો છો. આ માટે આ સમય અનુકૂળ છે. નસીબનો ભરપૂર સાથ મળશે. 

મકર રાશિ

મકર રાશિના જાતકો માટે આ સમય ખૂબ અનુકૂળ સાબિત થશે. સૂર્ય દેવ તમારી રાશિથી આવક અને લાભ ભાવમાં ભ્રમણ કરવા જઈ રહ્યા છે. દરમિયાન આ સમયમાં તમારી આવકમાં જોરદાર વધારો થતો જોવા મળી રહ્યો છે. આવકના નવા માધ્યમ બનશે. તમે આ દરમિયાન રૂપિયા કમાવવા અને ધન મેળવવામાં પણ સફળ રહેશો. આ સમયગાળામાં તમારી સેવિંગ્સ પણ સારી રહેશે. તમને આ સમયે રોકાણથી લાભ થશે. સૂર્ય તમારી રાશિના અષ્ટમ ભાવના સ્વામી છે. દરમિયાન જો તમે રિસર્ચના ક્ષેત્રે જોડાયેલા છો, તો તમારા માટે આ સમય શાનદાર રહેશે. દરમિયાન તમારુ આરોગ્ય પણ સારુ રહેશે. 


Google NewsGoogle News