Get The App

મકરસંક્રાંતિ પર 30 વર્ષ બાદ દુર્લભ સંયોગ, આ ચાર રાશિના જાતકો પર થશે શનિની કૃપા

Updated: Jan 14th, 2025


Google News
Google News
મકરસંક્રાંતિ પર 30 વર્ષ બાદ દુર્લભ સંયોગ, આ ચાર રાશિના જાતકો પર થશે શનિની કૃપા 1 - image


Image: Facebook

Makar Sankranti 2025: મકરસંક્રાંતિ 14 જાન્યુઆરીએ મનાવવામાં આવશે અને આ મહાપર્વ પર એક દુર્લભ સંયોગ બનવાનો છે. જ્યોતિષ અનુસાર મકરસંક્રાંતિ પર 30 વર્ષ બાદ શનિ દેવ કુંભ રાશિમાં શશ મહાપુરુષ યોગ બનાવશે, જે 4 રાશિઓને લાભ આપશે. 

મિથુન

તમને કિસ્મતનો ભરપૂર સાથ મળશે. બિઝનેસ કરનારને જોરદાર ધન લાભ થશે. નવા લોકોથી મુલાકાત થશે. નોકરિયાત લોકોને પ્રગતિ મળવાની છે. નોકરીમાં પ્રમોશનનો યોગ બનતો નજર આવી રહ્યો છે. સંતાન પક્ષથી શુભ સમાચાર મળશે. 

આ પણ વાંચો: મકર સંક્રાંતિના દિવસે ભૂલથી પણ ના કરવું જોઈએ આ પાંચ વસ્તુનું દાન, પુણ્ય થઈ જશે નષ્ટ

તુલા

આર્થિક મોર્ચે પ્રગતિના પ્રબળ યોગ બનશે. કરિયરમાં નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરી શકો છો. નવી નોકરીની શોધ ખતમ થઈ શકે છે.

મકર

શનિ દેવની કૃપાથી તમારા સોનેરી દિવસ શરૂ થઈ શકે છે. પરિવારના લોકોનો સાથ મળશે. કરિયરમાં પ્રગતિની સાથે નવો વળાંક આવશે. કમાણીની નવી તક પ્રાપ્ત થશે. વિવાહિત લોકો પરિવારની સાથે સારા અને સુખી પળ વિતાવશે. દેવાથી છુટકારો મળી શકે છે. 

કુંભ

વેપારમાં અચાનક મોટો નફો પ્રાપ્ત થશે. જમીન સાથે જોડાયેલા બિઝનેસમાં જોરદાર આવક થશે. જૂના રોકાયેલા કાર્યો પૂરા થશે.

Tags :
AstroMakar-SankrantiShani-DevSaturnZodiac-Signs

Google News
Google News