મેઘરજના વાઘપુરમાં સસ્તા અનાજની દુકાનેથી સરકારી અનાજ જથ્થો સગેવગે કરતા દોડધામ

- ટેમ્પામાં ઘઉંની 64 બોરી સહિત 2.10 લાખનો મુદ્દામાલ પોલીસે ઝડપ્યો

- સરકારી અનાજનો ટેમ્પો ભરીને વેચવા માટે આવતા પોલીસ ત્રાટકતા શખ્સો નાસી છૂટ્યા : ઇસરી પોલીસે પંચનામુ કરીને રિપોર્ટ મામલતદારને મોકલ્યો

Updated: Oct 29th, 2021


Google NewsGoogle News
મેઘરજના વાઘપુરમાં સસ્તા અનાજની દુકાનેથી સરકારી અનાજ જથ્થો સગેવગે કરતા દોડધામ 1 - image

મેઘરજ તા.28

મેઘરજના વાઘપુર ગામે સસ્તા અનાજની દુકાન આગળથી સરકારી અનાજનો જથ્થો સગેવગે કરવામાં આવતા દોડધામ મચી ગઇ હતી અને દુકાન પાસેથી સરકારી અનાજ ભરેલો ટેમ્પો ઇસરી પોલીસે ઝડપી પાડયો હતો અને જથ્થો સગેવગે કરનાર સંચાલક સામે ઇસરી પોલીસે પંચનામુ કરીને મામલતદારને રિપોર્ટ મોકલ્યો હતો.

તાલુકાના જામગઢ ગામે દિનદયાળ સસ્તા અનાજની દુકાનના સંચાલક ગૌતમ કમજી મનાતએ રાહતના ઘઉં બી.પી.એલ કાર્ડ ધારકોને આપવાના હોય છે તે બારોબાર ટેમ્પામાં કોથળા ભરી ખાનગી રીતે જસવંત દેવચંદ પટેલની વાઘપુર ગામની દુકાને વેચવા માટે આવ્યો હતો ઇસરી પોલીસ બાતમીના આધારે વાઘપુર ગામે જસવંત પટેલની દુકાને જતાં ત્યાં હાજર શખ્સો પોલીસને જોઇ ભાગી છુટયા હતા. પોલીસે ટેમ્પામાં તપાસ કરતાં ઘઉના કોથળા ઉપર ગવર્મેન્ટ ઓફ પંજાબ લેબલ વાળા સરકારી રાહતના ઘઉ ભરેલો જણાતાં કુલ.૬૭ કોથળા વજન ૩૩૫૦ કીલો જેની કી.રૃ.૧૦.૦૫૦ તેમજ ટેમ્પોની  કીંમત રૃ.૨.૦૦૦૦૦. કુલ મળી રૃ .૨.૧૦.૦૫૦ ના સાથે મુદ્દામાલ ઝડપાયો હતો જે બાબતે ઇસરી પોલીસે પંચનામુ કરી આગળની કાર્યવાહી કરવા મેઘરજ મામલતદારને રીપોર્ટ મોકલાયો હતો.

waghpur

Google NewsGoogle News