સાંસેજ ગામે બાઈકની ટક્કરે રાહદારીનું મોત

Updated: Aug 20th, 2024


Google NewsGoogle News
સાંસેજ ગામે બાઈકની ટક્કરે રાહદારીનું મોત 1 - image


- બાઈક ચાલક સામે ગુનો નોંધાયો 

- કોઠાવીના આધેડ પંડોળીથી પશુધન લઈ પરત ફરી રહ્યા હતા 

આણંદ : આણંદ જિલ્લાના સોજિત્રા-આમોદ રોડ ઉપર આવેલા સાંસેજ ગામ નજીક બાઈકની ટક્કરે એક રાહદારીનું મોત નીપજ્યું હતું. આ અંગે સોજિત્રા પોલીસે બાઈક ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

સોજિત્રાના કોઠાવી ગામે ઈન્દિરા કોલોની ખાતે રહેતા શાંતિલાલ શનાભાઈ પરમાર (ઉં.વ.૫૦) ગત શનિવાર રાત્રે જમાઈ અર્જુનભાઈ સાથે પંડોળી ગામે પશુધન લેવા ગયા હતા. જ્યાંથી પશુધન લઈને તેઓ ચાલતા-ચાલતા પરત આવી રહ્યા હતા. ત્યારે સાંસેજ ગામની સીમમાં પુરપાટ ઝડપે આવી ચઢેલી એક બાઈકના ચાલકે આધેડને ટક્કર મારી હતી.જેથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત શાંતિલાલને તુરંત વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. આ અંગે સોજિત્રા પોલીસે તપાસ હાથ ધરી છે. 


Google NewsGoogle News