આણંદના 24,353 કાચા મકાનોમાં અઠવાડિયામાં ડસ્ટિંગ કરવામાં આવશે
- જિલ્લામાં ચાંદીપુરા ન પ્રવેશે માટે ઝૂંબેશ
- 904 આંગણવાડીઓ અને 612 શાળાઓમાં મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગની કામગીરી કરાઈ
આણંદ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૩,૮૯૮ ઘરોમાં મેલેથિયોન પાવડરથી ડસ્ટીંગની કામગીરી કરવામાં આવી છે. જિલ્લામાં અત્યાર સુધીમાં ૯૦૪ જેટલી આંગણવાડીઓ અને ૬૧૨ જેટલી શાળાઓમાં મેલેથિયોન પાવડરથી ડસ્ટીંગની કામગીરી કરવામાં આવી છે. જે પૈકિ આણંદ તાલુકાની ૨૫૬ આંગણવાડી અને ૧૧૭ શાળાઓ, ઉમરેઠ તાલુકાની ૧૯૭ આંગણવાડી અને ૧૩૦ શાળાઓ, બોરસદ તાલુકાની ૮૦ આંગણવાડી અને ૭૩ શાળાઓ, આંકલાવ તાલુકાની ૧૨૯ આંગણવાડી અને ૧૦૪ શાળાઓ, પેટલાદ તાલુકાની ૬૩ આંગણવાડી અને ૬૯ શાળાઓ, સોજીત્રા તાલુકાની ૧૩ આંગણવાડી અને ૯ શાળાઓ, ખંભાત તાલુકાની ૧૧૨ આંગણવાડી અને ૬૮ શાળાઓ અને તારાપુર તાલુકાની ૫૪ આંગણવાડી અને ૪૨ શાળાઓમાં મેલેથિયોન પાવડરથી ડસ્ટીંગની કામગીરી કરવામાં આવી છે.
જિલ્લાના તમામ ગામોમાં આવેલ કુલ ૨૪,૩૫૩ જેટલાં કાચા મકાનોની દિવાલો ઉપર ૬-ફુટ સુધી મેલેથિયોન પાવડરથી ડસ્ટીંગની કામગીરી આગામી દિન-૭ માં પૂર્ણ કરવામાં આવશે તેમ જિલ્લા આરોગ્ય વિભાગની એક યાદીમાં જણાવાયું છે.