બીલપાડ-ગંભીરા માર્ગ ઉપર વાહનની ટક્કરે મહિલાનું મોત

Updated: Mar 20th, 2024


Google NewsGoogle News
બીલપાડ-ગંભીરા માર્ગ ઉપર વાહનની ટક્કરે મહિલાનું મોત 1 - image


- અજાણ્યા વાહન ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાઇ 

આણંદ : આંકલાવ તાલુકાના બીલપાડ-ગંભીરા માર્ગ ઉપર ગઈકાલ રાત્રિના સુમારે પુરપાટ ઝડપે જઈ રહેલા અજાણ્યા વાહનની ટક્કરે એક રાહદારી મહિલાનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે આંકલાવ પોલીસે અજાણ્યા વાહનચાલક વિરૂધ્ધ અકસ્માતનો ગુનો નોંધ્યો છે. 


આંકલાવ તાલુકાના નારપુરાની કાળીયા સીમ વિસ્તારમાં રહેતા પ્રવિણભાઈ બુધાભાઈ પરમાર ડભાસા ખાતે એક ખાનગી કંપનીમાં ફરજ બજાવે છે. તેમના પત્ની સોનલબેનની માનસિક પરિસ્થિતિ છેલ્લા કેટલાક દિવસોથી સારી ન હતી અને થોડા દિવસ પૂર્વે તેણી ઘરેથી કોઈને કંઈપણ કહ્યા સિવાય ક્યાંક ચાલી ગઈ હતી. ગત સોમવારના રોજ પ્રવિણભાઈએ ગામ સહિત આસપાસના વિસ્તારમાં સોનલબેનની શોધખોળ કરી હતી પરંતુ મળી આવ્યા ન હતા. દરમિયાન સોમવાર રાત્રિના સુમારે સોનલબેન બિલપાડ-ગંભીરા હાઈવે માર્ગ ઉપર આવેલા બાપા સીતારામ આશ્રમ નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ અજાણ્યા વાહનચાલકે તેઓને અડફેટે લેતા માથા તેમજ શરીરના અન્ય ભાગોએ ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે કરૂણ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે આંકલાવ પોલીસે પ્રવિણભાઈ પરમારની ફરિયાદના આધારે અજાણ્યા વાહનચાલક વિરૂધ્ધ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News