બોરસદના કંચોડાપુરાના શખ્સે યુવતી સાથે દુષ્કર્મ આચર્યું
- લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ
આણંદ : બોરસદના દહેવાણ તાબે કંચોડાપુરાના શખ્સે યુવતીને લગ્નની લાલચ આપી અનેકવાર દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે યુવતીએ વીરસદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
દહેવાણ તાબે કંચોડાપુરામાં રહેતા ઘનશ્યામ મહિપતસિંહ ચૌહાણે થોડા સમય પહેલા એક ૨૨ વર્ષીય યુવતીને લગ્નની લાલચ આપી અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં જો કોઈને આ વાતની જાણ કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. જેથી ડરી ગયેલી યુવતીએ જે-તે સમયે આ અંગે કોઈને જાણ કરી નહતી. પરંતુ શખ્સ વારંવાર તેને હેરાન કરતો હોવાથી યુવતીએ પરિવારને આ અંગે જાણ કરી હતી. તેમજ આ અંગે વીરસદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.