આણંદ જિલ્લાના 8 અધિકારીઓની બઢતી સાથે બદલી કરાઈ
આણંદ : રાજ્ય મહેસુલ વિભાગ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ફરજ બજાવતા વર્ગ-૩ના ૧૬૨ જેટલા કર્મચારીઓની બઢતી સાથે બદલીના હુકમો કરાયા છે. જેમાં આણંદ જિલ્લામાં ફરજ બજાવતા વર્ગ-૩ કક્ષાના આઠ અધિકારીઓની બઢતી સાથે બદલી કરવામાં આવી છે.
આણંદ જિલ્લામાંથી દિનેશભાઈ જોશીને વડોદરા જિલ્લામાં સિટી મામલતદાર તરીકે, શૈલેન્દ્રભાઈ પરમારને ઝાલોદ મામલતદાર તરીકે, કમલેશભાઈ વાળંદને પાલિતાણા મામલતદાર તરીકે, જીગરભાઈ પટેલને માળીયા તાલુકાના મામલતદાર તરીકે, મયુરભાઈ પ્રજાપતિને પબ્લિક રીલેશન ઓફીસર ખેડા ખાતે, વિપુલભાઈ બારોટને જામનગર મામલતદાર તરીકે, સોમાભાઈ સીંઘવને વડનગર જ્યારે આણંદ ડીઝાસ્ટર મામલતદાર ગૌરવ કાપડીયાને થાનગઢ ખાતે બદલી કરવામાં આવી છે. વડોદારા જિલ્લાના નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા સ્મિતાબેન શાહને આંકલાવ મામલતદાર તેમજ ખેડા જિલ્લાના નાયબ મામલતદાર જયેશભાઈ તળપદાને તારાપુર તાલુકામાં મામલતદાર તરીકે નિમણૂંક આપવામાં આવી છે.