પાળજ તથા ખંભાતની 2 યુવતીઓ અને લીંબાકુઈની પરીણિતા ગુમ

Updated: Feb 25th, 2024


Google NewsGoogle News
પાળજ તથા ખંભાતની 2 યુવતીઓ અને લીંબાકુઈની પરીણિતા ગુમ 1 - image


- જાણવાજોગ નોંધ નોંધી પોલીસે ત્રણેયની શોધખોળ હાથ ધરી 

આણંદ : આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના લીંબાકુઈની પરીણિતા, પાળજની યુવતી તથા ખંભાતના શક્કરપુરની યુવતી રહસ્યમય રીતે લાપતા થઈ હોવાના ત્રણ અલગ અલગ બનાવ અનુક્રમે પેટલાદ શહેર અને ખંભાત શહેર પોલીસ મથકે નોંધાયા હતા. પોલીસે જાણવાજોગ નોંધ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. 

લીંબાકુઈ ગામે રહેતા ભગવતીલાલ અભયસિંગ પ્રજાપતિના પત્ની સરોજબેન (ઉં.વ.૪૨) ગત તા.૧૯મી ફેબુ્રઆરીના રોજ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરેથી ક્યાંક ચાલી જઈ લાપતા થયાં હતાં.

તેમજ પાળજ ગામે ખોડો આંબો વિસ્તારમાં રહેતી ૧૯ વર્ષીય નેહાબેન રમેશભાઈ પરમાર ગત તા.૨૩મી ફેબુ્રઆરીના રોજ પોતાના ઘરેથી કોઈને કંઈ કહ્યા સિવાય ક્યાંક ચાલી જઈ ગુમ થઈ હતી. 

ઉપરાંત ખંભાત શહેરના શક્કરપુરના જકાતનાકા પાસેની રાવ સોસાયટીમાં રહેતા રામગોપાલ અર્જુનસિંહ નાઈની દીકરી પ્રિયંકાબેન (ઉં.વ.૨૨) ગત તા.૨૨મી ફેબુ્રઆરીના રોજ ક્યાંક ચાલી જઈ લાપતા થઈ હતી.


Google NewsGoogle News