For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

જમ્મુ કાશ્મીરના પૂંછમાં વાયુસેનાના કાફલા પર આતંકવાદી હુમલો, કેટલાક જવાન ઈજાગ્રસ્ત

Updated: May 4th, 2024

જમ્મુ કાશ્મીરના પૂંછમાં વાયુસેનાના કાફલા પર આતંકવાદી હુમલો, કેટલાક જવાન ઈજાગ્રસ્ત

Terrorist Attack in Jammu Kashmir : જમ્મુ કાશ્મીરના પૂંછમાં વાયુસેનાના વાહનોના કાફલા પર આતંકવાદી હુમલો થયો છે. આ હુમલામાં પાંચ જેટલા જવાનો ઈજાગ્રસ્ત થયા હોવાની શક્યતા છે. હાલ સેનાએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. આ વર્ષે ફોર્સ પર આતંકવાદીઓનો આ પહેલો મોટો હુમલો છે.

સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું કે, આતંકવાદીઓએ ભારતીય વાયુસેનાના કાફલા પર ફાયરિંગ કર્યું. આ હુમલો સુરનકોટના સનાઈ ગામમાં થયો. ભારતીય સેના અને પોલીસની વધુ ટુકડીઓ વિસ્તારમાં મોકલવામાં આવી છે.

જણાવી દઈએ કે, રાષ્ટ્રીય રાયફલ્સ યૂનિટના સ્થાનિક એકમે વિસ્તારની ઘેરાબંધી કરીને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. એરફોર્સના વાહનોને શાહસિતારની નજીકના એરબેઝમાં સુરક્ષિત પહોંચાડવામાં આવ્યા છે.

Gujarat