India

ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનના F-16 અને JF-17 ફાઇટર જેટ તોડી પડાયા હતા: વાયુસેના ચીફનો ખુલાસો

By GS TEAM
3 Oct 20252 mins read
TukuTouch Logo
ભારતીય વાયુસેના (IAF) તેના 93માં વાયુસેના દિવસની ભવ્ય ઉજવણી કરવા માટે તૈયારી કરી રહી છે. આ પ્રસંગે, વાયુસેનાના વડા એપી સિંહે જણાવ્યું હતું કે ભારતીય વાયુસેનાએ ઓપરેશન સિંદૂર દરમિયાન પાંચ પાકિસ્તાની F-16 અને JF-17 વિમાનોને તોડી પાડ્યા હતા. વાયુસેનાના PRO વિંગ કમાન્ડર જયદીપ સિંહે પ્રેસ બ્રીફિંગમાં ઉજવણી સંદર્ભે વિગતો આપી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનના F-16 અને JF-17 ફાઇટર જેટ તોડી પડાયા હતા: વાયુસેના ચીફનો ખુલાસો

Operation Sindoor: ભારતીય વાયુસેના (IAF) તેના 93માં વાયુસેના દિવસની ભવ્ય ઉજવણી કરવા માટે તૈયારી કરી રહી છે. આ પ્રસંગે, વાયુસેનાના વડા એપી સિંહે જણાવ્યું હતું કે ભારતીય વાયુસેનાએ ઓપરેશન સિંદૂર દરમિયાન પાંચ પાકિસ્તાની F-16 અને JF-17 વિમાનોને તોડી પાડ્યા હતા. વાયુસેનાના PRO વિંગ કમાન્ડર જયદીપ સિંહે પ્રેસ બ્રીફિંગમાં ઉજવણી સંદર્ભે વિગતો આપી હતી.

જયદીપસિંહે જણાવ્યું હતું કે, 8 ઑક્ટોબરના રોજ હિંડન એરફોર્સ બેઝ પર એક ભવ્ય પરેડ યોજાશે. 6 ઑક્ટોબરના રોજ ફુલ ડ્રેસ રિહર્સલ યોજાશે. વાયુસેનાના વડા, નૌકાદળના વડા અને આર્મી ચીફ પણ આ સમારોહમાં ભાગ લેશે. આ દિવસ વાયુસેનાની તાકાત, આત્મનિર્ભરતા અને રાષ્ટ્ર પ્રત્યેની સેવાનું પ્રદર્શન કરશે.

ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનને મોટું નુકસાન

જમીન પર: પાકિસ્તાનના ચાર સ્થળોએ રડાર, બે સ્થળોએ કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર, બે સ્થળોએ રનવે, ત્રણ સ્થળોએ હેંગર, 4-5 F-16 (કારણ કે હેંગર F-16નું હતું) અને એક SAM સિસ્ટમ નાશ પામી.

હવામાં: લાંબા અંતરના હવાઈ હુમલાના પુરાવા છે. AWACS અથવા સિગિન્ટ એરક્રાફ્ટ અને 4-5 F-16 અથવા J-10 ક્લાસ ફાઇટર. આનાથી પાકિસ્તાનના જમીન અને હવામાં કુલ 9-10 ફાઇટર જેટ નષ્ટ કરાયા હતા.

પરેડ અને આકર્ષણો: ફ્લેગ ફ્લાયપાસ્ટ અને સ્ટેટિક ડિસ્પ્લે

આ પણ વાંચોઃ આતંકવાદ રોકો નહીંતર પાકિસ્તાન દુનિયાના નકશામાં નહીં હોય: આર્મી ચીફની ચેતવણી

વિંગ કમાન્ડર સિંહે જણાવ્યું હતું કે પરેડમાં ઘણી રોમાંચક વસ્તુઓ જોવા મળશે. સૌથી નોંધપાત્ર આકર્ષણ ફ્લેગ ફ્લાયપાસ્ટ હશે, જ્યાં એક MI-17 હેલિકોપ્ટર ઓપરેશન સિંદૂરનો ધ્વજ લઈને ઉડાન ભરશે, જે વર્ષનું સૌથી મોટું ઓપરેશન હતું. સ્ટેટિક ડિસ્પ્લેમાં રાફેલ એરક્રાફ્ટ, Su-30MKI એરક્રાફ્ટ, ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ અને સ્કાય સરફેસ ટુ એર મિસાઇલ પ્રદર્શિત કરવામાં આવશે. રડાર અને શસ્ત્રો પણ પ્રદર્શિત કરવામાં આવશે. વાયુસેનાએ કુલ 18 નવા ઇનોવેશન્સ પણ રજૂ કર્યા છે. આ ઇનોવેશન્સ વાયુસેનાની સ્વ-નિર્ભરતા, સમસ્યાનું નિરાકરણ કરવાની ક્ષમતાઓ અને આગળની વિચારસરણી દર્શાવે છે. વિંગ કમાન્ડરે કહ્યું કે આ તેના આત્મવિશ્વાસ અને નવા પડકારોની તૈયારી દર્શાવે છે.

ઓપરેશન સિંદૂરઃ ઇતિહાસનો નવો અધ્યાય

બ્રિફિંગનું મુખ્ય કેન્દ્ર ઓપરેશન સિંદૂર હતું, જે પહલગામ હુમલા પછીનું સૌથી મહત્ત્વપૂર્ણ ઓપરેશન હતું. વિંગ કમાન્ડરે સમજાવ્યું કે સરકારે સશસ્ત્ર દળોને સંપૂર્ણ સ્વતંત્રતા આપી હતી. આ યુદ્ધ ઇતિહાસમાં નોંધાયેલું રહેશે કારણ કે તે એક જ લક્ષ્યથી શરુ થયું હતું અને રાષ્ટ્રએ યુદ્ધવિરામનો નિર્ણય લીધો હતો. અમારી મજબૂત હવાઈ સંરક્ષણ પ્રણાલીએ બાજી પલટી દીધી હતી. લાંબા અંતરની SAM મિસાઇલોએ દુશ્મનને પાછળ ધકેલી દીધો હતો. સૌથી લાંબા અંતરનો ટાર્ગેટ 300 કિલોમીટરથી વધુનો હતો. અમે ઓછામાં ઓછા નુકસાન સાથે સચોટ હુમલા કર્યા છે, અમે માત્ર એક જ રાતમાં દુશ્મનને ઘૂંટણિયે લાવી દીધા હતા. ઓપરેશન સિંદૂર 1971 પછી પહેલી વાર હાથ ધરાયેલું પાકિસ્તાન વિરુદ્ધનું યુદ્ધ હતું, વાયુસેનાએ તેની ચોકસાઈ, અભેદ્યતા સાબિત કરી. તમામ દળો - હવા, જમીન અને નૌકાદળે એક સાથે કામ કર્યું.