For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કરોડિયાના સાંઇનાથનગરમાં બાંકડા ખસેડવાના મુદ્દે સામસામે હુમલા,રિક્ષા-બાઇકની તોડફોડઃ 5 ઘાયલ

Updated: May 8th, 2024

કરોડિયાના સાંઇનાથનગરમાં  બાંકડા ખસેડવાના મુદ્દે સામસામે હુમલા,રિક્ષા-બાઇકની તોડફોડઃ 5 ઘાયલવડોદરાઃ કરોડિયારોડ વિસ્તારમાં બાંકડા ખસેડવા બાબતે બોલાચાલી થતાં સામસામે હુમલાના બનાવમાં પાંચ જણાને ઓછીવત્તી ઇજાઓ પહોંચી હોવાનો બનાવ બનતાં પોલીસે બંને પક્ષે ફરિયાદ નોંધી છે.

નવાયાર્ડના રામવાડી ખાતે રહેતા મૂળ યુપીના સોહેલખાન પઠાણે પોલીસને કહ્યું છેકે,મારા પિતાએ કરોડિયારોડ સાંઇનાથ નગરમાં પ્લોટ લીધો હોવાથી ત્યાં બાંધકામ ચાલી રહ્યું છે.અમારી જગ્યામાં બાંકડા મુકાયા હોવાથી બે દિવસ પહેલાં સ્થાનિક રહીશોને ખસેડી લેવા કહ્યું હતું.પરંતુ નહિં ખસેડતાં અમે ખસેડયા હતા.

જેની અદાવત રાખી મોહસીન રાઠોડ, અજય મહિડા,ફરિયદ મનસુરી અને સુભાન દિવાને મારા પર દંડા અને પ્લાસ્ટિકની પાઇપ વડે હુમલો કરતાં મને તેમજ મને છોડાવવા પડેલા સમીમબાનુ અને ઇમરાનભાઇને ઇજા થઇ હતી.

સામે પક્ષે લક્ષ્મીનગરમાં રહેતા મોહસીન રાઠોડે કહ્યું છે કે,બાંકડા ખસેડવા બાબતે મેં સાહેલને કહેવા જતાં તેણે મારા પર ગરમ ચા નાંખી હતી.જેથી હું  કપાળે દાઝ્યો હતો. ત્યારબાદ નઇમખાન પઠાણ,જાવેદખાન અને કેફ પઠાણે દંડા વડે મને તેમજ મારા મોટાબાપુને માર માર્યો હતો.

Gujarat