મૃત્યુ સમયે શું થાય છે? શા માટે બોલવાની ક્ષમતા ગુમાવી બેસે છે વ્યક્તિ?
Updated: Apr 18th, 2024
Image:FreePik
મૃત્યુ એ જીવનનું સત્ય છે, એક અનિવાર્ય હકીકત છે. દરેક વસ્તુનો આરંભ તેના અંત સાથે જ હોય છે. સૂર્યનો ઉદય થાય તો અસ્ત પણ થાય છે. તેજ રીતે મનુષ્ય પણ અમર નથી , ગમે તે સમયે તેનુ મૃત્યુ નિશ્વિત છે.
સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે, મોટાભાગના લોકો મૃત્યુ પહેલા વાણી શક્તિ ગુમાવે છે. જો કોઈ વ્યક્તિ બોલવાનો પ્રયત્ન કરે તો પણ તે સ્પષ્ટપણે તેના શબ્દોને ઉચ્ચારવામાં અસમર્થ થઈ જાય છે. ઘણી વખત એક-બે શબ્દ જ માંડ બોલી શકતા હોય છે. આને લઈને વિદેશમાં ઘણા પ્રયોગો થઈ રહ્યા છે, પરંતુ તાજેતરનો એક અભ્યાસ ચર્ચામાં છે.
થોડા સમય પહેલા અમેરિકન મેગેઝિન “એટલાન્ટિક” એ આ વિશે એક મોટો લેખ પ્રકાશિત કર્યો હતો.
મોટે ભાગે એવું કહેવામાં આવ્યું છે કે, છેલ્લી ઘડીએ ભાન ભુલાઈ જાય છે અને કંઈપણ કહેવાની તાકાત રહેતી નથી. વ્યક્તિ પોતાને લોકોથી દૂર કરવાનું શરૂ કરે છે. મરતી વ્યક્તિની ભાષા શું હોય છે તે વિશે વધારે લખ્યું નથી.
ભૂતપૂર્વ યુએસ પ્રમુખ જ્યોર્જ એચ.ડબલ્યુ. બુશનું અવસાન થયું ત્યારે મીડિયામાં તેના છેલ્લા શબ્દો “હું પણ તમને પ્રેમ કરું છું.”
લિસા સ્માર્ટ નામની ભાષાશાસ્ત્રીએ તેના પિતાના મૃત્યુ પછી "વર્ડ્સ ઓન થ્રેશોલ્ડ" નામનું પુસ્તક પ્રકાશિત કર્યું. આ પુસ્તકમાં 181 મૃત્યુ પામેલા લોકોની લગભગ 2000 વાર્તાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં તેમના પિતાનો સમાવેશ થાય છે.
શું મૃત્યુ પહેલા વ્યવસાય અને ચેતના વચ્ચે કોઈ સંબંધ છે?
અમેરિકન નૃવંશશાસ્ત્રી આર્થર મેકડોનાલ્ડે પણ મૃત્યુ પહેલાં લોકોની માનસિક સ્થિતિની તપાસ કરી હતી. જેમા જાણવા મળ્યુ કે, સૈન્ય સાથે સંકળાયેલા લોકોએ સૌથી વધુ સૂચનાઓ અથવા ચેતવણીઓ આપી હતી, જ્યારે ફિલસૂફો (ગણિતશાસ્ત્રીઓ અને શિક્ષણશાસ્ત્રીઓ સહિત) સૌથી વધુ પ્રશ્નો, જવાબો અને આશ્ચર્ય ધરાવતા હતા.
ધાર્મિક અને રાજવી લોકોએ સંતોષ અથવા અસંતોષના સૌથી વધુ શબ્દોનો ઉલ્લેખ કર્યો છે, જ્યારે કલાકારો અને વૈજ્ઞાનિકોએ સામાન્ય રીતે ઓછામાં ઓછા ઉલ્લેખ કર્યો છે.
“ધ એટલાન્ટિક” માં પ્રકાશિત થયેલ અહેવાલ આ બાબત પર ઘણો પ્રકાશ ફેંકે છે. આ મુજબ, 1992 માં નર્સ મેગી કેલાનન અને પેટ્રિશિયા કેલીનું પુસ્તક “ફાઇનલ ગિફ્ટ્સ” પ્રકાશિત થયું હતું. પછી વર્ષ 2007 માં, મૌરીન કીલીનું પુસ્તક “ફાઇનલ કન્વર્ઝન” આવ્યું કેલાનન તેના પુસ્તકમાં કહે છે, “જ્યારે વ્યક્તિ કમજોર થઈ જાય છે. જો તે છેલ્લી ક્ષણોમાં ખૂબ ઊંઘવા લાગે છે, તો અન્ય લોકો સાથે તેની વાતચીત વધુ રહસ્યમય બની જાય છે.
મોટાભાગના લોકો બોલી શકતા નથી
કીલે કહે છે, “જીવનના અંતે મોટાભાગના લોકો બોલી શકતા નથી. કારણ કે શરીર કામ કરવાનું બંધ કરી દે છે. ક્યારેક ફેફસાં પણ કામ કરવાનું બંધ કરી દે છે.
તમે સૌથી વધુ કોને બોલાવો છો?
કેટલાક લોકો શાંતિથી મૃત્યુ પામે છે, ખાસ કરીને જો તેઓ ડિમેન્શિયા અથવા અલ્ઝાઈમર જેવા રોગથી પીડાતા હોય. કારણ કે, તેમની ભાષાની તાકાત ઘણા વર્ષો પહેલા નષ્ટ થઈ ગઈ હતી. એક ડોક્ટરે કહ્યું કે, મરતી વખતે લોકો પોતાની પત્ની, પતિ કે બાળકોનું નામ લેતા હોય છે.
મરતા લોકો અટપટી વાતો કરે છે
રેમન્ડ મૂડી જુનિયરે 1975માં પ્રકાશિત તેમના બેસ્ટ સેલિંગ પુસ્તક “લાઇફ આફ્ટર લાઇફ”માં લખ્યું છે કે, ઘણીવાર મૃત્યુ પામેલી વ્યક્તિ થોડા સમય પહેલા અટપટા શબ્દોમાં વાત કરવાનું શરૂ કરે છે. ઉદાહરણ તરીકે – “મારે ત્યાં ખતમ થવું છે”, , “જીવન ખતમ થઈ થશે”, “જીવનનો દીવો ઓલવાઈ જવાનો છે” અને અન્ય સમાન વસ્તુઓનો ઉલ્લેખ કરે છે.
મૃત્યુ પહેલા 07 મિનિટ શું થાય છે?
જીવનના અંતિમ તબક્કામાં જ્યારે મૃત્યુ નજીક આવે છે, તો વ્યક્તિ સ્તબ્ધ થઈ જાય છે. એમ કહી શકાય કે, મૃત્યુનો અનુભવ જીવનમાંથી બેહોશ થઈને એક લાંબી ઊંઘ તરફ જવા જેવો હોય છે. મૃત્યુ પહેલાંની અંતિમ ક્ષણોમાં, મગજ પ્રવૃત્તિની તીવ્ર સ્થિતિમાં પ્રવેશ કરે છે. કેટલાક અભ્યાસોએ મગજની પ્રવૃત્તિની પેટર્ન દર્શાવી છે જે સપના અને યાદશક્તિની યાદ જેવી જ છે. આ રહસ્યમય અનુભવને "મૃત્યુ પહેલાની સાત મિનિટની ન્યુરલ એક્ટિવિટી" કહેવામાં આવે છે. આમાં સપનાની જેમ યાદોને જીવંત કરવાનો સમાવેશ થાય છે.