For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અંજારમાં સગીરાએ ગળેફાસો ફાસો ખાઈ આપઘાત કર્યો

Updated: May 4th, 2024

અંજારમાં સગીરાએ ગળેફાસો ફાસો ખાઈ આપઘાત કર્યો

ગાંધીધામમાં અજાણ્યા પુરુષનું મૃતદેહ મળી આવ્યો 

ગાંધીધામ: અંજારમાં 17 વર્ષીય સગીરાએ કોઈ કારણોસર પોતાના ઘરે રસી વડે ગળેફાસો ખાઈ આપઘાત કરી લીધું હતું. તો બીજી બાજુ ગાંધીધામનાં ઝંડાચોક નજીક અજાણ્યા પુરુષનું મૃતદેહ મળી આવ્યો હતો.

આ અંગે મળતી માહિતી મુજબ અંજારનાં જન્મોત્રી સોસાયટીમાં રહેતી ૧૭ વર્ષીય નિમીષાબેન વિરેન્દ્રસિંહ પુરોહિત કોઈ કારણોસર પોતાના ઘરમાં ગળેફાસો ખાઈ લીધું હતું. જેમાં તેનું મોત નીપજ્યું હતું. જેમાં અંજાર પોલીસે અકસ્માત મોત દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી. તો બીજી બાજુ ગાંધીધામનાં ઝંડાચોક નજીક આવેલી સોનલ ડેરી પાસે અજાણ્યા પુરુષનું મૃતદેહ મળી આવ્યો હતો. જે મૃતદેહને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જેમાં પોલીસે મૃતદેહની ઓળખ કરવા વધુ તપાસ હાથધરી હતી.

Gujarat