BIG NEWS
'મારી માતાએ મને વિશ્વાસથી આ કર્મ ભૂમિ સોંપી છે', રાયબરેલીથી ફોર્મ ભર્યા બાદ રાહુલ ગાંધીની પ્રતિક્રિયા
By: gujaratsamachar.com | Updated at: 3 May 2024 13:50 PM (IST)
May 3, 2024 | 32 minutes ago
શિદેની શિવસેનામાં જોડાયા સંજય નિરૂપમ
કોંગ્રેસને અલવિદા કહીને સંજય નિરુપમ મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેનામાં જોડાયા છે.
May 3, 2024 | 12:29 PM
14મી મેએ વડાપ્રધાન મોદી વારાણસીથી ઉમેદવારી પત્ર દાખલ કરે તેવી શક્યતા
વડાપ્રધાન મોદી વારાણસી બેઠક પરથી લોકસભા ચૂંટણી લડવાના છે. ત્યારે આગામી 13મી મેએ વારાણસીમાં રોડ શૉ બાદ 14મી તારીખે તેઓ ઉમેદવારી પત્ર ભરે તેવી શક્યતા.
May 3, 2024 | 11:17 AM
ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેજરીવાલને જામીન મળી શકે? જાણો સુપ્રીમ કોર્ટે ઈડીને શું કહ્યું
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ લિકર પોલિસીમાં કથિત મની લોન્ડ્રિંગના કેસમાં હાલ તિહાર જેલમાં બંધ છે. કેજરીવાલે જામીન માટે સુપ્રીમ કોર્ટ કરેલી અરજી પર આજે સુનાવણી હાથ ધરાઈ હતી, જેમાં કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ને ચૂંટણીના કારણે કેજરીવાલના વચગાળાના જામીન પર વિચાર કરવા કહ્યું છે. આ દરમિયાન કોર્ટે એમ પણ કહ્યું કે, હજુ અમારે આ મુદ્દે વિચાર કરવાનો છે. આ કેસની આગામી સુનાવણી મંગળવારે એટલે કે સાતમી મેએ ફરી હાથ ધરાશે.
Read ArticleMay 3, 2024 | 9:41 AM
ગુજરાતને ગુલામ બનાવવાનું શાસકોએ ષડયંત્ર રચ્યું : ધાનાણી
રાજકોટમાં પોતાના ભાષણની શરુઆત કવિતાથી કરીને કહ્યું હતું કે 'રાજકોટની ભૂમીએ ગુજરાતને ત્રણ-ત્રણ મુખ્યમંત્રીની ભેંટ આપી હોવા છતાં પણ રાજકોટની આશા-અપેક્ષા હજુ અધુરી છે.' આ ઉપરાંત કેન્દ્ર સરકાર પર કટાક્ષ કરતા પરેશ ધાનાણીએ કહ્યું હતું કે 'સત્તાના સિહાસને બેઠેલા લોકોનો અહંકાર સાતમાં આસમાને પહોંચ્યો છે જેને ઓગાળવાની ચૂંટણી છે. ભાજપને જનસંઘની પૃષ્ટભૂમી પરથી એક પણ સ્થાનિક લાયક ઉમેદવાર ન મળતા અમરેલીમાંથી એક ઉછીના ઉમેદવારને રાજકોટમાં આયાત કરીને થોપી બેસાડવામાં આવ્યા છે. આ ગુજરાતની શાંત અને ભોળી પ્રજાને સ્વાર્થ અને ભયની દિવાલ વચ્ચે ફસાવીને ગાંધી અને ગુજરાતને ગુલામ બનાવવાનું શાસકોએ ષડયંત્ર રચ્યું છે.'
Read ArticleMay 3, 2024 | 9:39 AM
કોંગ્રેસ નેતા રાજ બબ્બરે ગુડગાંવ લોકસભા બેઠકથી કરી ઉમેદવારી