જિયો, એરટેલ અને BSNL યુઝર્સ માટે સારા સમાચાર: સિગ્નલ વગર પણ કરી શકશે કોલ
Network Coverage: ટૅક્નોલૉજીની દુનિયામાં ટેલિકોમ કંપનીઓ હવે નવી દિશામાં આગળ વધી રહી છે. હવે જિયો, એરટેલ અને BSNL યુઝર્સ સિગ્નલ વગર પણ ફોન કરી શકશે. સરકાર દ્વારા તાજેતરમાં જ ઇન્ટ્રા સર્કલ રોમિંગ સર્વિસ શરુ કરવામાં આવી છે. આ સર્વિસનો ફાયદો ભારતના મોટાભાગના મોબાઇલ યુઝર્સને મળશે.
શું છે ઇન્ટ્રા સર્કલ રોમિંગ?
ઇન્ટ્રા સર્કલ રોમિંગ એ એવી સર્વિસ છે, જેના દ્વારા એક ટેલિકોમ કંપની અન્ય ટેલિકોમ કંપનીના નેટવર્ક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરી શકે છે, જો તે જિયોગ્રાફિક રિજનમાં હોય. આ સર્વિસને કારણે જો યુઝરને નેટવર્ક ન મળતું હોય, તો તે અન્ય કંપનીના નેટવર્ક સાથે કનેક્ટ થઈને સર્વિસનો ઉપયોગ કરી શકશે.
કેવી રીતે કામ કરશે?
નેટવર્ક શેરિંગ: જિયો, એરટેલ અને BSNL હવે ડિજિટલ ભારત નિધિ દ્વારા ફંડ કરવામાં આવેલા 4G મોબાઇલ ટાવર્સનો ઉપયોગ કરશે. આ ટાવર્સ પહેલાં કંપનીઓના પોતાના હતા, પરંતુ હવે તેમને ડિજિટલ ભારત નિધિ દ્વારા ફંડ મળશે.
ઑટોમેટિક સર્વિસ: જ્યારે યુઝરના પ્રાઇમરી નેટવર્ક કામ ન કરે, ત્યારે નેટવર્ક ઓટોમેટિક રીતે આ સર્વિસ શેર કરી શકાય છે. ઉદાહરણ તરીકે, જો જિયોના નેટવર્કમાં સમસ્યા હોય, તો એ જ ટાવર પર એરટેલ અથવા BSNLના નેટવર્ક ઉપલબ્ધ હોય, તો યૂઝર એ નેટવર્કનો ઉપયોગ કરી શકશે. આ નેટવર્ક પણ ઓટોમેટિક સ્વિચ થઈ જશે.
સતત કનેક્ટિવિટી: આ સર્વિસને કારણે યૂઝર સતત 4G કનેક્ટિવિટીનો ઉપયોગ કરી શકે છે, જોકે કોઈ ચોક્કસ વિસ્તારમાં નેટવર્ક પ્રોવાઇડર સેવા ન આપતું હોય, તો પણ આ વિસ્તારમાં યૂઝરને કનેક્ટિવિટી મળી રહે છે.
ઇન્ટ્રા સર્કલ રોમિંગના ફાયદા
ઇન્ટ્રા સર્કલ રોમિંગ સર્વિસના લાભથી 35,000 ગામડાઓમાં 27,000 મોબાઇલ નેટવર્કનો ઉપયોગ કરીને નેટવર્ક કવરેજ વધારવામાં આવ્યું છે. આ સર્વિસને કારણે નેટવર્ક કંપનીઓના ખર્ચમાં ખૂબ જ ઘટાડો થયો છે. તેમ કરવા માટે નેટવર્ક નાખવા માટે પૈસા ખર્ચવા નહીં પડે. યૂઝર્સને હવે કોલ ડ્રોપ નહીં થાય તથા વધુ સારી ડેટા સ્પીડ મળશે. પણ અસંતોષ દુરગામી વિસ્તારોમાં પણ કવરેજ મળી રહે છે. નેટવર્ક કવરેજ વધારવાનો હેતુ એજ્યુકેશન, હેલ્થકેર અને ઇકોનોમિક પ્રવૃત્તિઓમાં વૃદ્ધિ કરાવવાનો છે. ગામડાના લોકોને જાગૃત બનાવવા પણ આ યોજના અંદરનો હેતુ છે.
આ પણ વાંચો: મોબાઇલમાં જોવા મળશે તમામ સરકારી Apps: ગૂગલ અને એપલ પાસે સરકારે માગી મદદ
સરકારની ભૂમિકા
ડિજિટલ ભારત નિધિ પ્રોગ્રામના અંતર્ગત સરકાર દ્વારા 4G મોબાઇલ નેટવર્ક ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. ગામડાઓને ડિજિટલ દુનિયા સાથે કનેક્ટ કરવું છે. યુનિયન મિનિસ્ટર જ્યોતિરાદિત્ય સિંધિયા દ્વારા સરકાર અને ટેલિકોમ કંપનીઓ વચ્ચેની આ પાર્ટનરશિપને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવ્યું છે.